1. ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યહોવાએ, યર્મિયાના મુખથી અપાયેલું યહોવાનું વચન પૂરું કરવા માટે, કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે, તેણે પોતાના આખા રાજ્યમાં લિખિત જાહેરાત કરી.
|
2. તેમાં તેણે પોતે કહ્યું, “આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે, ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે.
|
3. તેના સર્વ લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર તેની સાથે હો, ને તે યહૂદિયાના યરુશાલેમમાં જઈને ઇઝરાયલના ઈશ્વર યહોવાનું મંદિર બાંધે, (યહોવા તે જ ખરા ઈશ્વર છે).
|
4. કોઈ પણ સ્થળે તેનામાંનો જે કોઈ બાકી રહેલો હોય, તેને ત્યાંના લોકો યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનુંરૂપું, સરસામાન અને પશુઓ આપીને તેની સહાય કરે.”
|
5. ત્યારે યરુશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાને જવા માટે જે કોઈના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી હતી તે સર્વ, યહૂદિયાના તથા બિન્યામીનના પિતૃઓના કુટુંબોના વડીલો, યાજકો અને લેવીઓ તત્પર થયા.
|
6. તેઓની આસપાસના લોકોએ સર્વ ઐચ્છિકાર્પણ ઉપરાંત, સોનારૂપાંના પાત્રો, સરસામાન, પશુઓ તથા મૂલ્વાન પદાર્થો આપીને તેઓનો ઉમંગ વધાર્યો.
|
7. વળી યહોવાના મંદિરનાં પાત્રો નબૂખાદનેસ્સારે યરુશાલેમમાંથી લાવીને પોતાના ઈશ્વરનાં મંદિરમાં મૂક્યા હતા, તે કોરેશ રાજાએ મંગાવી લીધાં.
|
11. સોનારૂપાના સર્વ પાત્રો મળીને પાંચ હજાર ચારસો હતાં. જ્યારે બંદીવાનો બાબિલથી યરુશાલેમ આવ્યાં, ત્યારે આ બધાં પાત્રો શેરબાસાર પોતાની સાથે લાવ્યો.
|