પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
એઝરા

Notes

No Verse Added

એઝરા પ્રકરણ 1

1. ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યહોવાએ, યર્મિયાના મુખથી અપાયેલું યહોવાનું વચન પૂરું કરવા માટે, કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે, તેણે પોતાના આખા રાજ્યમાં લિખિત જાહેરાત કરી. 2. તેમાં તેણે પોતે કહ્યું, “આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે, ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે. 3. તેના સર્વ લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર તેની સાથે હો, ને તે યહૂદિયાના યરુશાલેમમાં જઈને ઇઝરાયલના ઈશ્વર યહોવાનું મંદિર બાંધે, (યહોવા તે જ [ખરા] ઈશ્વર છે). 4. કોઈ પણ સ્થળે તેનામાંનો જે કોઈ બાકી રહેલો હોય, તેને ત્યાંના લોકો યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનુંરૂપું, સરસામાન અને પશુઓ આપીને તેની સહાય કરે.” 5. ત્યારે યરુશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાને જવા માટે જે કોઈના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી હતી તે સર્વ, યહૂદિયાના તથા બિન્યામીનના પિતૃઓના કુટુંબોના વડીલો, યાજકો અને લેવીઓ તત્પર થયા. 6. તેઓની આસપાસના લોકોએ સર્વ ઐચ્છિકાર્પણ ઉપરાંત, સોનારૂપાંના પાત્રો, સરસામાન, પશુઓ તથા મૂલ્વાન પદાર્થો આપીને તેઓનો ઉમંગ વધાર્યો. 7. વળી યહોવાના મંદિરનાં પાત્રો નબૂખાદનેસ્સારે યરુશાલેમમાંથી લાવીને પોતાના ઈશ્વરનાં મંદિરમાં મૂક્યા હતા, તે કોરેશ રાજાએ મંગાવી લીધાં. 8. તેણે મિથ્રદાથ ખજાનચીની પાસે તેઓને બહાર કઢાવીને યહૂદિયાના અધિકારી શેશ્બાસારને ગણી અપાવ્યાં. 9. તેઓની સંખ્યા આ છે: સોનાની ત્રીસ તાસકો, રૂપાની એક હજાર તાસકો, ઓગણત્રીસ છરીઓ, 10. સોનાના ત્રીસ પ્યાલા, ચારસો દશ રૂપાના બીજા પ્રકારના પ્યાલા, તથા એક હજાર બીજા પાત્રો. 11. સોનારૂપાના સર્વ પાત્રો મળીને પાંચ હજાર ચારસો હતાં. જ્યારે બંદીવાનો બાબિલથી યરુશાલેમ આવ્યાં, ત્યારે આ બધાં પાત્રો શેરબાસાર પોતાની સાથે લાવ્યો.
1. ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યહોવાએ, યર્મિયાના મુખથી અપાયેલું યહોવાનું વચન પૂરું કરવા માટે, કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે, તેણે પોતાના આખા રાજ્યમાં લિખિત જાહેરાત કરી. .::. 2. તેમાં તેણે પોતે કહ્યું, “આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે, ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે. .::. 3. તેના સર્વ લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર તેની સાથે હો, ને તે યહૂદિયાના યરુશાલેમમાં જઈને ઇઝરાયલના ઈશ્વર યહોવાનું મંદિર બાંધે, (યહોવા તે જ [ખરા] ઈશ્વર છે). .::. 4. કોઈ પણ સ્થળે તેનામાંનો જે કોઈ બાકી રહેલો હોય, તેને ત્યાંના લોકો યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનુંરૂપું, સરસામાન અને પશુઓ આપીને તેની સહાય કરે.” .::. 5. ત્યારે યરુશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાને જવા માટે જે કોઈના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી હતી તે સર્વ, યહૂદિયાના તથા બિન્યામીનના પિતૃઓના કુટુંબોના વડીલો, યાજકો અને લેવીઓ તત્પર થયા. .::. 6. તેઓની આસપાસના લોકોએ સર્વ ઐચ્છિકાર્પણ ઉપરાંત, સોનારૂપાંના પાત્રો, સરસામાન, પશુઓ તથા મૂલ્વાન પદાર્થો આપીને તેઓનો ઉમંગ વધાર્યો. .::. 7. વળી યહોવાના મંદિરનાં પાત્રો નબૂખાદનેસ્સારે યરુશાલેમમાંથી લાવીને પોતાના ઈશ્વરનાં મંદિરમાં મૂક્યા હતા, તે કોરેશ રાજાએ મંગાવી લીધાં. .::. 8. તેણે મિથ્રદાથ ખજાનચીની પાસે તેઓને બહાર કઢાવીને યહૂદિયાના અધિકારી શેશ્બાસારને ગણી અપાવ્યાં. .::. 9. તેઓની સંખ્યા આ છે: સોનાની ત્રીસ તાસકો, રૂપાની એક હજાર તાસકો, ઓગણત્રીસ છરીઓ, .::. 10. સોનાના ત્રીસ પ્યાલા, ચારસો દશ રૂપાના બીજા પ્રકારના પ્યાલા, તથા એક હજાર બીજા પાત્રો. .::. 11. સોનારૂપાના સર્વ પાત્રો મળીને પાંચ હજાર ચારસો હતાં. જ્યારે બંદીવાનો બાબિલથી યરુશાલેમ આવ્યાં, ત્યારે આ બધાં પાત્રો શેરબાસાર પોતાની સાથે લાવ્યો. .::.
  • એઝરા પ્રકરણ 1  
  • એઝરા પ્રકરણ 2  
  • એઝરા પ્રકરણ 3  
  • એઝરા પ્રકરણ 4  
  • એઝરા પ્રકરણ 5  
  • એઝરા પ્રકરણ 6  
  • એઝરા પ્રકરણ 7  
  • એઝરા પ્રકરણ 8  
  • એઝરા પ્રકરણ 9  
  • એઝરા પ્રકરણ 10  
×

Alert

×

gujarati Letters Keypad References