3. મિસર દેશ જેમાં તમે રહેતા હતા, તેનાં કૃત્યોનું અનુકરણ તમે ન કરો, અને કનાન દેશ જેમાં હું તમને લઈ જાઉં છું, તેના કૃત્યોનું અનુકરણ પણ તમે ન કરો; તેમ જ તેઓના વિધિઓ પ્રમાણે તમે ન ચાલો.
|
5. માટે તમારે મારા વિધિઓ તથા હુકમો પાળવા; કેમ કે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તે તેઓ વડે જીવન પામે. હું યહોવા છું.
|
9. તારી બહેનની, એટલે તારા પિતાની દીકરીની કે તારી માની દીકરીની આબરૂ તું ન લે, પછી તે ઘરમાં જન્મેલી હોય કે બહાર જન્મેલી હોય.
|
19. અને જ્યાં સુધી કોઈ સ્ત્રી ઋતુના કારણથી અગલ રહેલી હોય, ત્યાં સુધી તેની પાસે જઈને તેની આબરૂ ન લે.
|
21. તું તારા કોઈ પણ સંતાનને અગ્નિમાં ચલાવીને મોલેખને સ્વાધીન ન કર, ને તારા ઈશ્વરનું નામ ન વટાળ; હું યહોવા છું.
|
23. અને કોઈ પશુની સાથે કુકર્મ કરીને તું પોતાને અશુદ્ધ ન કર, કોઈ સ્ત્રી પણ જાનવરની સાથે કુકર્મ કરવાને તેની સામે ઊભી ન રહે, તે વિપરીત કર્મ છે.
|
24. એવું કોઈ પણ કૃત્ય કરીને તમે પોતાને અશુદ્ધ ન કરો; કેમ કે જે દેશજાતિઓને હું તમારી સામેથી કાઢી મૂકવાનો છું, તેઓ એ સર્વ વાતે અશુદ્ધ થઈ છે,
|
25. અને દેશ અશુદ્ધ થયો છે. એ માટે હું તેના પર તેના અન્યાયની શિક્ષા લાવું છું, ને દેશ પોતાના રહેવાસીઓને ઓકી કાઢે છે.
|
26. માટે તમે મારા વિધિઓ તથા મારા હુકમો પાળો, ને એ અમંગળ કર્મોમાંનું કોઈ પણ ન કરો; આ દેશમાંનોએ નહિ તેમ જ તમારી મધ્યે પ્રવાસ કરતો પરદેશી પણ નહિ;
|
27. (કેમ કે જે લોકો તમારી અગાઉ આ દેશના વતની હતા, તેઓએ એ સઘળાં અમંગળ કૃત્યો કર્યાં છે, ને દેશ અશુદ્ધ થયો છે.)
|
28. રખેને એવું થાય કે, તમે દેશને અશુદ્ધ કરો, ને તેથી જેમ તમારી પહેલાંની પ્રજાને તેણે ઓકી કાઢી, તેમ તે તમને પણ ઓકી કાઢે.
|
30. એ માટે તમે મારા ફરમાનનો અમલ કરો, એ માટે કે તમારી પહેલાં જે અમંગળ રિવાજો પળાતા હતા, તેઓમાંનો કોઈ પણ તમે ન પાળો, ને તેઓ વડે પોતાને અશુદ્ધ ન કરો. હું યહોવા તમારો ઈશ્વર છું.
|