3. કેમ કે દુષ્ટ પોતાના અંત:કરણની ઇચ્છા ની તૃપ્તિ થતાં અભિમાન કરે છે, અને લોભી તો યહોવાને માનતો નથી, હા, તેમની નિંદા કરે છે.
|
4. દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે કે, ઈશ્વર બદલો લેશે નહિ. તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.
|
5. સર્વ સમયે તે ફતેહ પામે છે; તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી. તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે.
|
8. તે ગામોની છૂપી જગાઓમાં બેસે છે; તે સંતાઈને નિર્દોષનો ઘાત કરે છે. તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે.
|
9. સિંહ જેમ ગુફામાં છુપાઈ રહે છે તેમ તે ગુપ્ત જગામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે. તે દીનને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.
|
11. તે પોતાના હ્રદયમાં વિચાર કરે છે, “ઈશ્વર વીસરી ગયા છે.” તેમણે પોતાનું મુખ સંતાડી રાખ્યું છે; તેમણે તે જોયું નથી, અને તે કદી જોશે નહિ.
|
14. તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ કરનારા તથા ઈર્ષા ખોરો ને નજરમાં રાખો છો; નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથના બેલી થયા છો.
|
15. દુષ્ટનો હાથ તમે ભાંગી નાખો. તમે ભૂંડા માણસની ભૂંડાઈને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ.
|