ગીતશાસ્ત્ર 10 : 1 (GUV)
હે યહોવા, તમે કેમ આઘા રહો છો? સંકટના સમયમાં તમે કેમ સંતાઈ જાઓ છો?
ગીતશાસ્ત્ર 10 : 2 (GUV)
દુષ્ટો ગર્વિષ્ટ થઈને દીન પુરુષને બહુ સતાવે છે. પોતાની કલ્પેલી યુક્તિઓમાં તેઓ ફસાઈ પડે.
ગીતશાસ્ત્ર 10 : 3 (GUV)
કેમ કે દુષ્ટ પોતાના અંત:કરણની ઇચ્છા [ની તૃપ્તિ થતાં] અભિમાન કરે છે, અને લોભી તો યહોવાને માનતો નથી, હા, તેમની નિંદા કરે છે.
ગીતશાસ્ત્ર 10 : 4 (GUV)
દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી [બતાવે] છે કે, [ઈશ્વર] બદલો લેશે નહિ. તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.
ગીતશાસ્ત્ર 10 : 5 (GUV)
સર્વ સમયે તે ફતેહ પામે છે; તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી. તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે.
ગીતશાસ્ત્ર 10 : 6 (GUV)
તે પોતાના હ્રદયમાં વિચાર કરે છે કે, હું ડગનાર નથી; પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું.
ગીતશાસ્ત્ર 10 : 7 (GUV)
શાપ, કપટ તથા જુલમથી તેનું મુખ ભરેલું છે. તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.
ગીતશાસ્ત્ર 10 : 8 (GUV)
તે ગામોની છૂપી જગાઓમાં બેસે છે; તે સંતાઈને નિર્દોષનો ઘાત કરે છે. તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે.
ગીતશાસ્ત્ર 10 : 9 (GUV)
સિંહ જેમ ગુફામાં છુપાઈ રહે છે‍ તેમ તે ગુપ્ત જગામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે. તે દીનને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.
ગીતશાસ્ત્ર 10 : 10 (GUV)
તે દબાઈ રહે છે, નીચો વળે છે, અને લાચાર તેના પંજામાં સપડાઈ જાય છે.
ગીતશાસ્ત્ર 10 : 11 (GUV)
તે પોતાના હ્રદયમાં વિચાર કરે છે, “ઈશ્વર વીસરી ગયા છે.” તેમણે પોતાનું મુખ સંતાડી રાખ્યું છે; તેમણે તે જોયું નથી, અને તે કદી જોશે નહિ.
ગીતશાસ્ત્ર 10 : 12 (GUV)
હે યહોવા, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો; ગરીબોને વીસરી ન જાઓ.
ગીતશાસ્ત્ર 10 : 13 (GUV)
દુષ્ટ શા માટે ઈશ્વરને નિંદે? તે શા માટે પોતાના હ્રદયમાં વિચાર કરે છે, “તમે બદલો નહિ માગો?”
ગીતશાસ્ત્ર 10 : 14 (GUV)
તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ [કરનારા] તથા ઈર્ષા [ખોરો] ને નજરમાં રાખો છો; નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથના બેલી થયા છો.
ગીતશાસ્ત્ર 10 : 15 (GUV)
દુષ્ટનો હાથ તમે ભાંગી નાખો. તમે ભૂંડા માણસની ભૂંડાઈને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ.
ગીતશાસ્ત્ર 10 : 16 (GUV)
યહોવા સદાસર્વકાળ રાજા છે. તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.
ગીતશાસ્ત્ર 10 : 17 (GUV)
યહોવા, તમે નમ્રની અભિલાષા માન્ય કરી છે; તમે તેઓનાં હ્રદયોને તૈયાર કરશો, તમે કાન ધરશો;
ગીતશાસ્ત્ર 10 : 18 (GUV)
એ માટે કે તમે અનાથ તથા દુ:ખીઓનો ન્યાય કરો, અને તેથી પૃથ્વીનું માણસ હવે પછી ત્રાસદાયક રહે નહિ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: