1. અને જયારે કોઈ જન યહોવાને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય; અને તે તેના પર તેલ રેડે ને તે પર લોબાન મૂકે.
|
2. અને તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે; અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદો તથા તેલ ને તે પરનો બધો લોબાન લે. અને યાજક યાદગીરીને માટે યહોવાને સારુ સુવાસિત હોમયજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કરે.
|
3. અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.
|
4. અને જો તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ લાવે તો તે તેલથી મોહેલા મેંદાની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા હોય.
|
8. અને એવી વસ્તુઓનું બનેલું ખાદ્યાર્પણ તારે યહોવાની આગળ લાવવું, અને તે યાજક આગળ રજૂ કરવું, ને તે તેને વેદી પાસે લાવે.
|
9. અને યાજક તે ખાદ્યાર્પણમાંથી કેટલુંક યાદગીરી માટે કાઢી લઈને વેદી પર તેનું દહન કરે; તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.
|
10. અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.
|
11. જે ખાદ્યાર્પણ તમે યહોવા પ્રત્યે ચઢાવો તેઓમાંનું કોઈ પણ ખમીરવાળું બનાવેલું ન હોય; કેમ કે તમારે યહોવાના હોમયજ્ઞ તરીકે કંઈ પણ ખમીરનું અથવા કંઈ પણ મધનું દહન કરવું નહિ.
|
13. અને તારે તારા ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણને મીઠાથી સલૂણું કરવું, અને તારા ખાદ્યાર્પણમાં તું તારા ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દે. તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચઢાવવું.
|
14. અને જો તું યહોવા પ્રત્યે પ્રથમ ફળનું ખાદ્યાર્પણ ચઢાવે, તો તારા પ્રથમ ફળના ખાદ્યાર્પણને માટે ભરેલાં કણસલાં અંગારા પર શેકીને તાજાં કણસલાંનો પોંક પાડીને તારે ચઢાવવો.
|
16. અને યાજક યાદગીરીને માટે તે પોંકમાંથી થોડો પોંક તથા તે તેલમાંથી થોડું તેલ તથા તે પરનો બધો લોબાન લઈને તેઓનું દહન કરે. તે યહોવાને માટે હોમયજ્ઞ છે.
|