2. બહુમતીનું અનુસરણ કરીને તું દુષ્ટતા ન કર; અને કોઈ મુકદમામાં બહુમતીની તરફેણમાં વળી જઈને જૂઠી સાક્ષી પૂરીને ન્યાય ન મરડ.
|
5. જો તું તારા દુશ્મનના ગધેડાને તેના ભારથી ચગદાઈને પડી રહેલું જુએ, ને જો તેની ખાતર તેને છૂટું કરવાની મરજી તને ન હોય, તો તેને સહાય આપીને તારે તેને છૂટું કરવું જ.
|
7. જૂઠી બાબતથી દૂર રહે; અને નિર્દોષને તથા ન્યાયીને તું મારી ન નાખ; કેમ કે હું દુષ્ટને ન્યાયી ઠરાવીશ નહિ.
|
11. પણ સાતમે વર્ષે તેને વિશ્રામ આપી પડતર રાખ; કે તારા લોકોમાંના ગરીબોને ખાવાનું મળે, ને તેઓ પડયું મૂકે તે વનપશુઓ ખાય. તારી દ્રાક્ષાવાડી તથા તારી જૈતવાડીને પણ તું એ પ્રમાણે કર.
|
12. છ દિવસ તું તારું કામ કર, ને સાતમે દિવસે વિશ્રામ લે; કે તારા બળદને તથા તારા ગધેડાને વિસામો મળે, ને તારી દાસીનો દીકરો તથા પરદેશી વિશ્રામ લે.
|
13. અને જે બધી બાબતો મેં તમને કહી છે તે વિષે સાવચેત રહો. અને અન્ય દેવોનાં નામ ન ઉચ્ચાર, ને તે તારા મુખમાંથી ન સંભળાય.
|
15. બેખમીર રોટલીનું પર્વ પાળ; એટલે તને મેં આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં ઠરાવેલે સમયે બેખમીર રોટલી તું સાત દિવસ ખા (કેમ કે તે માસ માં તું મિસરમાંથી નીકળ્યો); અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહિ.
|
16. વળી ખેતરમાં વાવેલામાંથી લઈને તારી મહેનતના પ્રથમ ફળનું, એટલે કાપણીનું પર્વ પાળ; અને વર્ષને અંતે ખેતરમાંથી તારી મહેનતનું ફળ ભેગું કરે ત્યારે તું સંગ્રહપર્વ પાળ.
|
18. મારા યજ્ઞનું રક્ત તું ખમીરી રોટલી સહિત અર્પણ કરીશ નહિ; તેમ જ મારા પર્વનો મેદ તું આખી રાત સવાર સુધી રહેવા ન દઈશ.
|
19. તારી જમીનનું પહેલું જ પ્રથમ ફળ તું યહોવા તારા ઈશ્વરનઅ ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ નહિ.
|
20. જો, માર્ગે તને સંભાળવાને માટે; ને મેં જે ઠેકાણું તૈયાર કર્યું છે તેમાં તને લાવવાને માટે હું તારી આગળ દૂતને મોકલું છું.
|
21. તેની વાતને ધ્યાન દેજે, ને તેની વાણી સાંભળજે, તેને ક્રોધ ચઢાવીશ નહિ. કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહિ. કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહિ; કારણ કે મારું નામ તેનામાં છે.
|
22. પણ જો તું તેની વાણી સાંભળ્યા કરીશ જ, ને હું જે કહું છું તે બધું કરીશ, તો હું તારા વૈરીઓનો વૈરી ને તારા શત્રુઓનો શત્રુ થઈશ.
|
23. કેમ કે મારો દૂત તારી આગળ ચાલશે, ને અમોરી તથા હિત્તી તથા પરીઝી તથા કનાની, હિવ્વી તથા યબૂસી લોકની પાસે તે તને લઈ જશે; અને હું તેઓને નષ્ટ કરીશ.
|
24. તેઓના દેવો આગળ તું ન નમીશ, ને તેઓની સેવા ન કરીશ, ને તેઓનાં કામ પ્રમાણે ન કરીશ; પણ તેઓને તું તદન તોડી પાડ, ને તેઓના સ્તંભોના ચૂરેચૂરા કર.
|
25. વળી તમે યહોવા તમારા ઈશ્વરની સેવા કરજો, ને તે તારા અન્નજળને આશીર્વાદ આપશે; અને હું તારી મધ્યેથી રોગ દૂર કરીશ.
|
27. હું તારી આગળ મારો ત્રાસ એવો મોકલીશ કે, જે બધા લોકોમાં થઈને તું જશે તેમને હું થથરાવી નાખીશ, ને તારા સર્વ શત્રુઓ તારી તરફ પીઠ ફેરવે એવું હું કરીશ.
|
28. વળી તારી આગળ હું ભમરીઓને મોકલીશ, ને તે હિવ્વી તથા કનાની તથા હિત્તી લોકોને તારી આગળથી હાંકી કાઢીશે.
|
29. હું એક જ વર્ષમાં તેમને તારી આગળથી હાંકી કાઢીશ નહિ; રખેને દેશ ઉજ્જડ થઈ જાય, ને જંગલના પ્રાણીઓ તારી સામે વધી જાય.
|
31. અને લાલ સમુદ્રથી તે પલિસ્તીઓના સમુદ્ર સુધી, ને અરણ્યથી તે નદી સુધી હું તારી સરહદ ઠરાવીશ; કેમ કે દેશના રહેવાસીઓને હું તમારા હાથમાં સોંપીશ; અને તું તેઓને તારી આગળથી હાંકી કાઢીશ.
|
33. તેઓ તારા દેશમાં ન વસે, રખેને તેઓતારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે; કેમ કે જો તું તેઓના દેવોની સેવા કરે, તો જરૂર તે તને ફાંદારૂપ થઈ પડશે.”
|