1. યાકેના પુત્ર આગૂરનાં વચનો, જે ઈશ્વરવાણી છે. કોઈ માણસ ઈથિયેલને, ઈથિયેલ તથા ઉક્કાલને આ પ્રમાણે કહે છે,
|
4. આકાશમાં કોણ ચઢ્યો અને પાછો ઊતર્યો? કોણે પવનને પોતાની મુઠ્ઠીમાં સમેટી લીધો છે? કોણે પોતાના વસ્ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું જાણતો હોય તો કહે, તેનું નામ શું છે, અને તેના દીકરાનું નામ શું છે?
|
8. તે એ કે વ્યર્થતા તથા જૂઠ મારાથી દૂર કરો; મને દરિદ્રતા ન આપો, તેમજ દ્રવ્ય પણ ન આપો; મારે માટે અગત્યનું હોય તેટલા અન્નથી મારું પોષણ કરો;
|
9. રખેને હું છલકાઈ જાઉં, અને તમારો નકાર કરીને કહું કે, ‘યહોવા કોણ છે?’ અથવા રખેને હું દરિદ્રી થઈને ચોરી કરું, અને મારા ઈશ્વરના નામની નિંદા કરાવું.”
|
14. એવી પણ પેઢી છે કે જેના દાંત તરવાર જેવા, અને જેની દાઢો ચપ્પુ જેવી છે! તે વડે તેઓ ગરીબોને પૃથ્વી પરથી, અને કંગાલોને માણસોમાંથી ખાઈ જાય છે.
|
15. “આપ આપ, ” એ નામની જળોને બે દીકરીઓ છે. કદી તૃપ્ત થતાં નથી એવાં ત્રણ વાનાં છે, અને જે એમ કહેતાં જ નથી, કે “બસ, ” એવાં ચાર વાનાં છે:
|
17. જે આંખ પોતાના પિતાની મશ્કરી કરે છે. અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે. અને ગીધનાં બચ્ચાં તેને ખાઈ જશે.
|
18. ત્રણ વાનાં મને એવાં આશ્ચર્યકારક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતાં નથી; હા, ચાર વાનાં હું જાણતો નથી:
|
19. એટલે વાયુમાં ગરૂડનો માર્ગ; ખડક ઉપર સર્પનો માર્ગ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી સાથે પુરુષનો માર્ગ.
|
20. વ્યભિચારી સ્ત્રીનો માર્ગ પણ એવો જ છે; તે ખાઈને પોતાનું મોં લૂછે છે, અને કહે છે, “મેં કંઈ કુકર્મ કર્યું નથી.”
|
32. જો ગર્વિષ્ઠ થવાની મૂર્ખાઈ તેં કરી હોય, અથવા તેં ભૂંડો વિચાર કર્યો હોય, તો તારો હાથ તારા મોં પર મૂક.
|
33. કેમ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે, અને નાક મચડ્યાથી લોહી નીકળે છે; તેમજ ક્રોધને છંછેડ્યાથી ઝઘડો ઊભો થાય છે.
|