1. અને સાતમા માસને પહેલે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ ન કરો. તે તમારે માટે રણશિંગડાં વગાડવાનો દિવસ છે.
|
2. અને તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો. એટલે એક વાછરડો, એક ઘેટો ને પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન.
|
3. અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું ત્રણ દશાંશ એફાહ વાછરડાની સાથે, ને બે દશાંશ એફાહ ઘેટાની સાથે,
|
6. અમાવાસ્યાનું દહનીયાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા નિત્યનું દહનીયાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, કે જે તેઓના વિધિ પ્રમાણે સુવાસને અર્થે યહોવાને હોમયજ્ઞ તરીકે ચઢાવવામાં આવે છે તે ઉપરાંત એ ચઢાવવાં.
|
7. અને એ જ સાતમા માસને દશમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. અને તમે આત્મકષ્ટ કરો. કોઈ પણ જાતનું કામ ન કરો.
|
8. પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો. એટલે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષના સાત નર હલવાન, જોજો કે તેઓ ખોડખાંપણ વગરના હોય.
|
9. અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું ત્રણ દશાંશ એફાહ વાછરડાની સાથે, ને બે દશાંશ એફાહ એક ઘેટાની સાથે,
|
11. પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો. પ્રાયશ્ચિત્તના પાપાર્થાર્પણ તથા નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ઉપરાંત તે ચઢાવો.
|
12. અને સાતમા માસને પંદરમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ ન કરો, ને સાત દિવસ સુધી યહોવાને માટે પર્વ પાળો:
|
13. અને તમે દહનીયાર્પણ, એટલે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. એટલે તેર વાછરડા, બે ઘેટા, પહેલ વર્ષના ચૌદ નર હલવાન. તેઓ ખોડખાંપણ વગરના હોય.
|
14. અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા ત્રણ દશાંશ એફાહ મેંદાનું, એ તેર વાછરડાઓમાંના દરેક વાછરડાની સાથે, ને બે દશાંશ એફાહ એ બે ઘેટાઓમાંના દરેકની સાથે.
|
16. અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
|
18. અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો વાછરડાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
|
19. અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
|
21. અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
|
22. અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
|
24. તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
|
25. અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
|
27. અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
|
28. અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
|
30. અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
|
31. અને નિત્યના દહનીયાર્પણ તથા તેનાં ખાદ્યાર્પણ તથા તેનાં પેયાર્પણો ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
|
33. અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
|
34. અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
|
36. પણ યહોવાને દહનીયાર્પણ, એટલે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો; એટલે એક ગોધો, એક ઘેટો, ને પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન.
|
37. તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
|
38. અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
|
39. તમારાં દહનીયાર્પણોને માટે, તથા તમારાં ખાદ્યાર્પણોને માટે, તથા તમારાં પેયાર્પણોને માટે, તથા તમારાં શાંત્યર્પણોને માટે, તમારાં ચઢાવેલાં માનતાઓ તથા ઐચ્છિકાર્પણો ઉપરાંત, તમારે તમારાં ઠરાવેલાં પર્વોમાં યહોવાને એ ચઢાવવાં.”
|