1. અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદષ્ટિ કરી, જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેમણે સારાને કર્યું.
|
2. અને સારા ગર્ભવતી થઈ, ને તેણે ઇબ્રાહિમને માટે, તેના ઘડપણમાં જેમ ઈશ્વર તેને કહ્યું હતું તેમ ઠરાવેલે સમયે દિકરાને જન્મ આપ્યો.
|
4. અને તેનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો ત્યારે ઈશ્વરે તેને આ આપી હતી, તે પ્રમાણે ઇબ્રાહિમે તેની સુન્નત કરી.
|
7. અને તેણે કહ્યું, “ઇબ્રાહિમને કોણ કહેત કે સારા છોકરાને ધવડાવશે? કેમ કે તેના ઘડપણમાં મેં દિકરાને જન્મ આપ્યો છે.”
|
8. અને તે બાળક મોટો થયો, ને તેને ધાવણ મૂકાવ્યું; અને ઇસહાકે દૂધ છોડયું, તે દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી.
|
10. તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી તથા તેના દિકરાને કાઢી મૂક; કેમ કે એ દાસીનો દીકરો મારા દિકરા ઇસહાકની સાથે વારસ નહિ થશે.”
|
12. અને ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારા દિકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહિ; જે સર્વ સારાએ તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ; કેમ કે ઇસહાકથી તારું સંતાન ગણાશે.
|
14. અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.
|
16. અને તે એક તીરવા જેટલે અંતરે દૂર જઈને તેની સામે બેઠી; કેમ કે તેણે કહ્યું, “છોકરાનું મરણ હું ન જોઉં.” અને તે તેની સામે બેઠી, ને પોક મૂકીને રડી.
|
17. અને ઈશ્વરે છોકરાનો સાદ સાંભળ્યો; અને ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારી ને કહ્યું, “હાગાર, તને શું થયું છે? બી મા; કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી ઇશ્વરે તેનો સાદ સાંભળ્યો છે.
|
19. અને ઈશ્વરે તેની આંખ ઉઘાડી, ને તેણે પાણીનો એક કૂવો જોયો; અને તેણે જઈને મશકમાં પાણી ભર્યું, ને છોકરાને પીવડાવ્યું.
|
22. અને તે સમયે એમ થયું કે, અબીમેલેખે ને તેના સેનાપતી ફીકોમે ઇબ્રાહિમને કહ્યું, “જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે;
|
23. એ માટે હવે અહીં મારી આગળ ઈશ્વરના સમ ખા કે, મારી સાથે, ને મારા દિકરાના દિકરા સાથે, તું દગો નહિ કરે; પણ તારા પર મેં દયા કરી છે, તે પ્રમાણે મારા પર અને જ્યાં તું રહે છે તે દેશ પર તું દયા કરશે.”
|
25. પછી અબીમેલેખના દાસોએ પાણીનો એક કૂવો બળાત્કારે લઈ લીધો હતો, તે માટે ઇબ્રાહિમે અબીમેલેખને ઠપકો આપ્યો.
|
26. અને અબીમેલેખે કહ્યું, “એ કામ કોણે કર્યું છે એ હું જાણતો નથી. અને તેં પણ મને જણાવ્યું ન હોતું, ને મેં આજે જ એ સાંભળ્યું છે.”
|
30. ત્યારે તેણે કહ્યું, “આ સાત ઘેટી મારા હાથથી તું લે કે, આ કૂવો મેં ખોદ્યો છે તેની તેઓ મારે માટે સાક્ષી થાય.”
|
32. એમ તેઓએ બેર-શેબામાં કરાર કર્યો; ત્યારે અબીમેલેખ ને તેનો સેનાપતિ ફીકોલ ઊઠીને પલસ્તીઓના દેશમાં પાછા ગયા.
|
33. અને ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું, ને ત્યાં યહોવા સનાતન ઈશ્વરને નામે પ્રાર્થના કરી.
|