1. યહોવાહ પર હું ભરોસો રાખું છું; [QBR] તમે મારા જીવને કેમ કહો છો કે, [QBR] “પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?” [QBR]
2. કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે. [QBR] તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે [QBR] એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે. [QBR]
3. કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, [QBR] તો ન્યાયી શું કરી શકે? [QBR]
4. યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; [QBR] તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે. [QBR]
5. યહોવાહ ન્યાયી તથા દુષ્ટ લોકોની પરીક્ષા કરે છે, [QBR] પણ જેઓ હિંસા કરવામાં આનંદ માને છે તેઓને તે ધિક્કારે છે. [QBR]
6. તે દુષ્ટ લોકો પર વરસાદની જેમ અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવે છે; [QBR] તે તેઓના પ્યાલાનો ભાગ થશે. [QBR]
7. કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે; [QBR] જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે. [PE]