1. જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. [QBR] તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે; [QBR]
2. તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે; [QBR] તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે. [QBR]
3. તેણે પોતાની દાસીઓને મોકલીને [QBR] ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે: [QBR]
4. “જો કોઈ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે!” [QBR] અને વળી બુદ્ધિહીન લોકોને તે કહે છે કે, [QBR]
5. આવો, મારી સાથે ભોજન લો [QBR] અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ. [QBR]
6. હે મૂર્ખો તમારી હઠ છોડી દો અને જીવો; [QBR] બુદ્ધિને માર્ગે ચાલો. [QBR]
7. જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે, [QBR] જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તેને બટ્ટો લાગે છે. [QBR]
8. ઉદ્ધત માણસને ઠપકો ન આપો, [QBR] નહિ તો તે તમારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે. [QBR]
9. જો તમે જ્ઞાની વ્યક્તિને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે; [QBR] અને ન્યાયી વ્યક્તિને શિક્ષણ આપશો તો તેના ડહાપણમાં વૃદ્ધિ થશે. [QBR]
10. યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે, [QBR] પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે. [QBR]
11. ડહાપણને લીધે તારું આયુષ્ય દીર્ઘ થશે, [QBR] અને તારી આવરદાનાં વર્ષો વધશે. [QBR]
12. જો તું જ્ઞાની હોય તો તે તારે પોતાને માટે જ્ઞાની છે, [QBR] જો તું તિરસ્કાર કરીશ તો તારે એકલા એ જ તેનું ફળ ભોગવવાનું છે.” [QBR]
13. મૂર્ખ સ્ત્રી ઝઘડાખોર છે [QBR] તે સમજણ વગરની છે અને તદ્દન અજાણ છે. [QBR]
14. તે પોતાના ઘરના બારણા આગળ બેસે છે, [QBR] તે નગરના ઊંચાં સ્થાનોએ આસન વાળીને બેસે છે. [QBR]
15. તેથી ત્યાંથી થઈને જનારાઓને [QBR] એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે બોલાવે છે. [QBR]
16. “જે કોઈ મૂર્ખ હોય, તેે વળીને અહીં અંદર આવે!” [QBR] અને બુદ્ધિહીનને તે કહે છે કે. [QBR]
17. “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, [QBR] અને સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે.” [QBR]
18. પરંતુ એ લોકોને ખબર નથી કે તે તો મૃત્યુની જગ્યા છે, [QBR] અને તેના મહેમાનો મૃત્યુનાં ઊંડાણોમાં ઊતરનારા છે. [PE]