1. દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો, [QBR] સમજણ મેળવવા માટે ધ્યાન આપો. [QBR]
2. હું તમને ઉત્તમ બોધ આપું છું; [QBR] મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ. [QBR]
3. જ્યારે હું મારા પિતાનો માનીતો દીકરો હતો, [QBR] ત્યારે હું મારી માતાની દૃષ્ટિમાં સુકુમાર તથા એકનોએક હતો, [QBR]
4. ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતું કે, [QBR] “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે [QBR] અને મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે. [QBR]
5. ડહાપણ પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; [QBR] એ ભૂલીશ નહિ અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ. [QBR]
6. ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે, [QBR] તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે. [QBR]
7. ડહાપણ એ ખૂબ જ મહત્વની બાબત છે, તેથી ડહાપણ પ્રાપ્ત કર [QBR] અને તારું જે કંઈ છે તે આપી દે, એનાથી તને બુદ્ધિ પ્રાપ્ત થશે. [QBR]
8. તેનું સન્માન કર અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; [QBR] જ્યારે તું તેને ભેટશે, ત્યારે તે તને પ્રતિષ્ઠિત કરશે. [QBR]
9. તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે; [QBR] તે તને તેજસ્વી મુગટ આપશે.” [QBR]
10. હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ [QBR] એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે. [QBR]
11. હું તને ડહાપણનો માર્ગ બતાવીશ; [QBR] હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ. [QBR]
12. જ્યારે તું ચાલશે, ત્યારે તારાં રસ્તામાં કોઈ ઊભો રહી નહિ શકે [QBR] અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ. [QBR]
13. શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહિ; [QBR] તેની કાળજી રાખજે, કારણ કે તે જ તારું જીવન છે. [QBR]
14. દુષ્ટ માણસોના માર્ગને અનુસરીશ નહિ [QBR] અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ. [QBR]
15. તે માર્ગે ન જા, તેનાથી દૂર રહેજે; [QBR] તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા. [QBR]
16. કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી [QBR] અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે. [QBR]
17. કારણ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે [QBR] અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે. [QBR]
18. પણ સદાચારીઓનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે; [QBR] જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે. [QBR]
19. દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, [QBR] તેઓ શા કારણથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી. [QBR]
20. મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; [QBR] મારાં વચન સાંભળ. [QBR]
21. તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે; [QBR] તેને તારા હૃદયમાં સંઘરી રાખ. [QBR]
22. જે કોઈને મારાં વચનો મળે છે તેના માટે તે જીવનરૂપ છે [QBR] અને તેઓના આખા શરીરને આરોગ્યરૂપ છે. [QBR]
23. પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, [QBR] કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે. [QBR]
24. કુટિલ વાણી તારી પાસેથી દૂર કર [QBR] અને ભ્રષ્ટ વાત તારાથી દૂર રાખ. [QBR]
25. તારી આંખો સામી નજરે જુએ [QBR] અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે. [QBR]
26. તારા પગનો માર્ગ સપાટ કર; [QBR] પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય. [QBR]
27. જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે જજે; [QBR] દુષ્ટતાથી તારો પગ દૂર કર. [PE]