1. મારા દીકરા, મારી આજ્ઞાઓ ભૂલી ન જા [QBR] અને તારા હૃદયમાં મારા શિક્ષણને સંઘરી રાખજે; [QBR]
2. કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો [QBR] અને શાંતિની વૃદ્ધિ આપશે. [QBR]
3. કૃપા તથા સત્યતા તારો ત્યાગ ન કરો, [QBR] તેઓને તું તારા ગળે બાંધી રાખજે, [QBR] તેઓને તારા હૃદયપટ પર લખી રાખજે. [QBR]
4. તેથી તું ઈશ્વર તથા માણસની દૃષ્ટિમાં [QBR] કૃપા તથા સુકીર્તિ પામશે. [QBR]
5. તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ [QBR] અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ. [QBR]
6. તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર [QBR] અને તે તારા માર્ગો સીધા કરશે. [QBR]
7. તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા; [QBR] યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા. [QBR]
8. તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે [QBR] અને તારું શરીર તાજગીમાં રહેશે. [QBR]
9. તારા ધનથી તથા તારી પેદાશના [QBR] પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર. [QBR]
10. એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે [QBR] અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે. [QBR]
11. મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ [QBR] અને તેમના ઠપકાથી કંટાળી ન જા. [QBR]
12. કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે [QBR] તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે. [QBR]
13. જે માણસને ડહાપણ મળે છે, [QBR] અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે. [QBR]
14. કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના [QBR] વળતર કરતાં શ્રેષ્ઠ છે. [QBR]
15. ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે [QBR] અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી. [QBR]
16. તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, [QBR] તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે. [QBR]
17. તેના માર્ગો સુખદાયક [QBR] અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે. [QBR]
18. જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે, [QBR] જેઓ તેને દૃઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે. [QBR]
19. યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને [QBR] આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે. [QBR]
20. તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં [QBR] અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે. [QBR]
21. મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, [QBR] તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે. [QBR]
22. તો તેઓ તારા આત્માનું જીવન [QBR] અને તારા ગળાની શોભા થશે. [QBR]
23. પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ [QBR] અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ. [QBR]
24. જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; [QBR] જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે. [QBR]
25. જ્યારે આકસ્મિક ભય આવી પડે [QBR] અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ. [QBR]
26. કેમ કે યહોવાહ તારી સાથે રહેશે [QBR] અને તારા પગને સપડાઈ જતાં બચાવશે. [QBR]
27. હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો [QBR] જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ. [QBR]
28. જ્યારે તારી પાસે પૈસા હોય, [QBR] ત્યારે તારા પડોશીને એમ ન કહે, [QBR] “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.” [QBR]
29. જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, [QBR] તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર. [QBR]
30. કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, [QBR] તો તેની સાથે કારણ વગર તકરાર ન કર. [QBR]
31. દુષ્ટ માણસની અદેખાઈ ન કર, [QBR] અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર. [QBR]
32. કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; [QBR] પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે. [QBR]
33. યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; [QBR] પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે. [QBR]
34. તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, [QBR] પણ તે નમ્ર જનોને કૃપા આપે છે. [QBR]
35. જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, [QBR] પણ મૂર્ખોને બદનામી જ મળશે. [PE]