1. માણસો મનમાં સંકલ્પ કરે છે, [QBR] પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાહના હાથમાં છે. [QBR]
2. માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, [QBR] પણ યહોવાહ તેઓનાં મનની તુલના કરે છે. [QBR]
3. તારાં કામો યહોવાહને સોંપી દે [QBR] એટલે તારી યોજનાઓ સફળ થશે. [QBR]
4. યહોવાહે દરેક વસ્તુને પોતપોતાના હેતુને માટે સર્જી છે, [QBR] હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે સર્જ્યા છે. [QBR]
5. દરેક અભિમાની અંતઃકરણવાળી વ્યક્તિને યહોવાહ ધિક્કારે છે, [QBR] ખાતરી રાખજો તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ. [QBR]
6. દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે [QBR] અને યહોવાહના ભયથી માણસો દુષ્ટતાથી દૂર રહે છે. [QBR]
7. જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવાહ ખુશ થાય છે, [QBR] ત્યારે તે તેના દુશ્મનોને પણ તેની સાથે શાંતિથી રાખે છે. [QBR]
8. અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં, [QBR] ન્યાયથી મળેલી થોડી આવક સારી છે. [QBR]
9. માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, [QBR] પણ તેનાં પગલાં ચલાવવાનું કામ યહોવાહના હાથમાં છે. [QBR]
10. રાજાના હોઠોમાં ઈશ્વરવાણી છે, [QBR] તેનું મુખ ખોટો ઇનસાફ કરશે નહિ. [QBR]
11. પ્રામાણિક ત્રાજવાં યહોવાહનાં છે; [QBR] કોથળીની અંદરના સર્વ વજનિયાં તેમનું કામ છે. [QBR]
12. જ્યારે દુષ્ટ કર્મો કરવાથી રાજાઓને કંટાળો આવે છે, [QBR] ત્યારે સારાં કામોથી રાજ્યાસન સ્થિર થાય છે. [QBR]
13. નેક હોઠો રાજાને આનંદદાયક છે [QBR] અને તેઓ યથાર્થ બોલનાર ઉપર પ્રેમ રાખે છે. [QBR]
14. રાજાનો કોપ મૃત્યુદૂતો જેવો છે, [QBR] પણ શાણી વ્યક્તિ પોતાના ગુસ્સાને શાંત પાડશે. [QBR]
15. રાજાના મુખના પ્રકાશમાં જીવન છે [QBR] અને તેની કૃપા પાછલા વરસાદના વાદળાં જેવી છે. [QBR]
16. સોના કરતાં ડહાપણ મેળવવું એ કેટલું ઉત્તમ છે. [QBR] ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે યોગ્ય છે. [QBR]
17. દુષ્ટતાથી દૂર જવું એ જ પ્રામાણિક માણસનો રાજમાર્ગ છે; [QBR] જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે. [QBR]
18. અભિમાનનું પરિણામ નાશ છે [QBR] અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે. [QBR]
19. ગરીબની સાથે નમ્રતા રાખવી તે સારું છે [QBR] તે અભિમાનીની સાથે લૂંટના ભાગીદાર થવા કરતાં વધારે સારું છે. [QBR]
20. જે પ્રભુના વચનોનું ચિંતન કરે છે તેનું હિત થશે; [QBR] અને જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે આનંદિત છે. [QBR]
21. જ્ઞાની અંત:કરણવાળો માણસ સમજદાર કહેવાશે; [QBR] અને તેની મીઠી વાણીથી સમજદારીની વૃદ્ધિ થાય છે. [QBR]
22. જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, [QBR] પણ મૂર્ખ માટે શિક્ષા એ તેઓની મૂર્ખાઈ છે. [QBR]
23. જ્ઞાનીનું હૃદય તેના મુખને શીખવે છે [QBR] અને તેના હોઠોને સમજની વૃદ્ધિ કરી આપે છે. [QBR]
24. માયાળુ શબ્દો મધ જેવા છે, [QBR] તેઓ આત્માને મીઠા લાગે છે અને હાડકાંને આરોગ્ય આપે છે. [QBR]
25. એક એવો માર્ગ છે જે માણસને સાચો લાગે છે, [QBR] પણ અંતે તે મૃત્યુ તરફ લઈ જાય છે. [QBR]
26. મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; [QBR] તેની ભૂખ એમ કરવા તેને આગ્રહ કરે છે. [QBR]
27. અધમ માણસ અપરાધ કરે છે [QBR] અને તેની બોલી બાળી મૂકનાર અગ્નિ જેવી છે. [QBR]
28. દુષ્ટ માણસ કજિયાકંકાસ કરાવે છે, [QBR] અને કૂથલી કરનાર નજીકના મિત્રોમાં ફૂટ પડાવે છે. [QBR]
29. હિંસક માણસ પોતાના પડોશીને છેતરે છે [QBR] અને ખરાબ માર્ગમાં દોરી જાય છે. [QBR]
30. આંખ મટકાવનાર વ્યક્તિ મુશ્કેલી લાવનારી યોજનાઓ કરે છે; [QBR] હોઠ ભીડનાર વ્યક્તિ કંઈક અનિષ્ટ કરી રહી હોય છે. [QBR]
31. સફેદ વાળ એે ગૌરવનો તાજ છે; [QBR] સત્યને માર્ગે ચાલનારને એ મળે છે. [QBR]
32. જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે, [QBR] અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે. [QBR]
33. ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, [QBR] પણ તે બધાનો નિર્ણય તો યહોવાહના હાથમાં છે. [PE]