2. અને વિશ્રામવાર આવ્યો ત્યારે ઈસુ સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાએ એ સાંભળીને છક થઈને કહ્યું, “આ બધું તેમની પાસે ક્યાંથી? અને તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે? અને એમના હાથથી આવાં પરાક્રમી કામો ક્યાંથી થાય છે?
|
3. શું એ સુથાર નથી? શું એ મરિયમનો દીકરો, યાકૂબ તથા યોસે તથા યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એમની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી.
|
4. પણ ઈસુએ તેઓને કહ્યું, “પોતાના દેશ તથા પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય પ્રબોધક બીજે સ્થળે માન વિનાનો નથી.”
|
5. અને તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં, એ વિના તે ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યા.
|
7. અને બાર શિષ્યો ને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો;
|
8. અને તેઓને ફરમાવ્યું કે, માર્ગને માટે કેવળ એક લાકડી વિના બીજું કઈ લેવું નહિ:રોટલી નહિ, થેલી નહિ, તમારા કમરબંધમાં નાણું નહિ.
|
11. અને જ્યાં કહીં તેઓ તમારો આવકાર ન કરે, ને તમારું ન સાંભળે, ત્યાંથી નીકળતાં તેઓની વિરુદ્ધ સાક્ષી થવાને માટે તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખો.”
|
14. અને હેરોદ રાજાએ તેમના વિષે સાંભળ્યું (કારણ, તેનું નામ પ્રસિદ્ધ થયું હતું); અને તેણે કહ્યું, “યોહાન બાપ્તિસ્ત મૂએલાંમાંથી ઊઠ્યો છે, ને તેથી આવાં પરાક્રમી કામો તેનાંથી થાય છે.
|
15. પણ બીજાઓએ કહ્યું, “તે એલિયા છે.” અને બીજાઓએ કહ્યું, “પ્રબોધકોમાંના કોઈ એકના જેવો તે એક પ્રબોધક છે.”
|
16. પણ હેરોદે તે સાંભળીને કહ્યું, “એ તો યોહાન છે કે જેનું માથું મેં કાપી નંખાવ્યું, તે મૂએલાંમાંથી ઊઠ્યો છે.”
|
17. કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો, અને તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને કેદખાનામાં બંદીવાન કર્યો હતો; કેમ કે હેરોદ તેને પરણ્યો હતો.
|
20. કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી બીતો, ને તેની સંભાળ લેતો, ને તેનું સાંભળીને તે બહુ ગભરાતો, પણ ખુશીથી તે તેનું સાંભળતો.
|
21. અને છેવટે અનુકૂળ દિવસ આવ્યો, ત્યારે હેરોદે પોતાની વરસગાંઠને દિવસે પોતાના અમીરોને તથા સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને માટે મિજબાની કરાવી.
|
22. અને તે જ હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી, ને તેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું, “જે કંઈ તું ચાહે તે મારી પાસે માગ, ને હું તને તે આપીશ.”
|
23. અને તેણે સમ ખાઈને તેને કહ્યું, “જે કંઈ તું મારી પાસે માગે તે મારા અર્ધા રાજ્ય સુધી હું તને આપીશ.”
|
25. અને તેણે તેને કહ્યું, યોહાન બાપ્તિસ્તનું માથું.” અને તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું, “હું ચાહું છું કે, યોહાન બાપ્તિસ્તનું માથું કથરોટમાં હમણાં જ તું મને અપાવ.”
|
26. અને રાજા બહુ દુ:ખી થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેઠેલાઓને લીધે તેણે તેને ના કહેવાનું ચાહ્યું નહિ.
|
27. અને તરત રાજાએ સિપાઈને મોકલીને યોહાનનું માથું લાવવાનો હુકમ કર્યો, ને તેણે જઈને કેદખાનામાં તેનું માથું કાપી નાખ્યું.
|
30. અને પ્રેરિતો ઈસુની પાસે એકત્ર થાય છે, ને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેઓએ તેમને કહી સંભળાવ્યું.
|
31. અને તેમણે તેઓને કહ્યું, “તમે પોતે ઉજ્જડ સ્થળે એકાંતમાં આવો, ને થોડો આરામ લો.” કેમ કે આવનારા ને જનારા ઘણા હતા, અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો નહોતો.
|
33. અને લોકોએ તેઓને જતાં જોયા, ને ઘણાએ તેમને ઓળખ્યા, ને સર્વ શહેરોમાંથી પગે દોડીને તેઓ ત્યાં એકઠા થયા, ને તેઓની આગળ જઈ પહોંચ્યા.
|
34. અને ઈસુએ નીકળીને અતિ ઘણા લોકોને જોયા, ને તેમને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા. અને તે તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યા.
|
35. અને જ્યારે દિવસ ઘણો નમી ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, “આ સ્થળ ઉજ્જડ છે, ને દિવસ ઘણો નમી ગયો છે.
|
37. પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “તમે તેઓને ખાવાનું આપો.” અને તેઓ તેમને કહે છે, “શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?”
|
38. પણ તે તેઓને કહે છે, “તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ, ” અને ખબર કાઢ્યા પછી તેઓ તેમને કહે છે, “પાંચ તથા બે માછલી.”
|
41. અને તેમણે પાંચ રોટલી તથા બે માછલી લઈને આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો, ને રોટલીઓ ભાંગીને તેમણે તે પીરસવા માટે પોતાના શિષ્યોને આપી; અને બે માછલી સહુને વહેંચી આપી.
|
45. અને તત્કાળ તેમણે પોતાના શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા, ને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેમણે તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદા મોકલ્યા.
|
48. અને પવન સામો હોવાને કારણે તેઓ હલેસાં મારતાં હેરાન થાય છે, એ જોઈને, આશરે રાતને ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવે છે, ને જાણે તેઓથી આગળ જવાનું તેમણે કર્યું.
|
50. કેમ કે સહુ તેમને જોઈને ગભરાયા અને તરત તે તેઓની સાથે વાત કરીને તેઓને કહે છે, “હિમ્મત રાખો, એ તો હું છું; બીહો નહિ.”
|
55. ને ચોતરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં લઈને તેઓ ત્યાં લાવવા લાગ્યા.
|
56. અને તે જે જે ગામોમાં કે શહેરોમાં કે પરાંઓમાં આવ્યા, ત્યાં તેઓએ માંદાઓને ચૌટાઓમાં રાખ્યા, ને તેમને વિનંતી કરી, “તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો:” અને જેટલા તેમને અડક્યા તેટલા સાજા થયા.
|