1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. જે દરિદ્રીની ચિંતા રાખે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવા તેને છોડાવશે.
|
2. યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે. તે પૃથ્વી પર સુખી થશે. પ્રભુ, તેને તમે તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન ન કરશો.
|
4. મેં કહ્યું, “હે યહોવા, મારા પર દયા કરો; મારા આત્માને સાજો કરો, કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.”
|
6. જો તે મને મળવા આવે તો તે જૂઠું બોલે છે; તેનું હ્રદય અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે બહાર જાય છે ત્યારે તે બધું જાહેર કરે છે.
|