1. હવે કોટ બંધાઈ રહ્યો, મેં દરવાજા ઊભા કર્યા, ને દ્વારપાળો તથા ગવૈયાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી.
|
2. મેં યરુશાલેમને મારા ભાઈ હનાનીના તથા કિલ્લાના અમલદાર હનાન્યાના હવાલામાં સોંપ્યું, કેમ કે તે માણસ વિશ્વાસપાત્ર તથા બીજાઓ કરતાં ઈશ્વરથી વિશેષ બીનારો હતો.
|
3. મેં તેમને કહ્યું કે, દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ઉઘાડવા નહિ. અને ચોકીદારો ત્યાં ઊભા રહે તે દરમિયાન તેઓ કમાડો બંધ રાખે. તમારે ભૂંગોળ બેસાડવી, અને યરુશાલેમના રહેવાસીઓમાંથી પહેરેગીરો ઠરાવવા, એટલે પ્રત્યેક વ્યક્તિને પોતાના પહેરામાં પોતાના ઘરની સામે ચોકી કરવા માટે નીમવો.
|
5. મારા ઈશ્વરે મારા મનમાં એવી પ્રેરણા કરી કે, અમીરોને, અમલદારોને તથા લોકોને, વંશાવળી પ્રમાણે તેમની ગણતરી કરવા માટે, એકત્ર કરવા. જેઓ પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીનું પુસ્તક મને મળ્યું. તેમાં એવું લખેલું માલૂમ પડ્યું,
|
6. “બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર જે લોકોને બંદીવાન કરીને લઈ ગયો હતો તેઓમાંથી જે લોકો યહૂદિયાના પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,
|
7. એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા,.નાહમાની, મોર્દખાય, બિલ્શા, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ, તથા બાનાની સાથે આવ્યા તેઓ આ છે: ઇઝરાયલી લોકના પુરુષોની સંખ્યાવાર ટીપ:
|
45. દ્વારપાળો:શાલ્લૂમના પુત્રો, આટેરના પુત્રો, ટાલ્મોનના પુત્રો, આક્કૂબના પુત્રો, હટીટાના પુત્રો અને સોબાયના પુત્રો, એક સો આડત્રીસ.
|
61. તેલમેલા, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઇમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા, તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પિતૃઓનું કુટુંબ તથા પોતપોતાની ઓલાદ બતાવી શક્યા નહિ.
|
63. યાજકોમાંના: હબાયાના પુત્રો, હાક્કોસના પુત્રો અને બાર્ઝિલ્લાયના પુત્રો (એ ગિલ્યાદી બાર્ઝિલ્લાયની પુત્રીઓમાંથી એકની સાથે પરણ્યો હતો, માટે તેઓના નામ પરથી તેનું નામ એ પડ્યું)
|
64. જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં એઓએ પોતાની વંશાવળી શોધી, પણ તે મળી નહિ. માટે તેઓ યાજકપદમાંથી ભ્રષ્ટ થયા.
|
65. સરસૂબાએ તેઓને કહ્યું, “ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.”
|
67. તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતાં; તેઓમાં ગવૈયા તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતાં.
|
70. પિતૃઓના કુટુંબોમાંના મુખ્યોમાંથી કેટલાકે આ કામને માટે દ્રવ્ય આપ્યું. સરસૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં.
|
71. પિતૃઓનાં કુટુંબોના મુખ્યોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર માનેહ રૂપું આ કામને માટે ભંડારમાં આપ્યાં.
|
73. હવે યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, નથીનીમ તથા કેટલાક લોકો યરુશાલેમમાં વસ્યા, અને સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.
|