3. અને જો તે છડો આવ્યો હોય, તો તે છડો છૂટે. જો તે પરણેલો આવ્યો હોય, તો તેની સાથે તેની પત્ની પણ છૂટે.
|
4. અને જો તેના શેઠે તેને પત્ની કરાવી આપી હોય, ને જો તેને પેટે તેને પુત્રો કે પુત્રીઓ થયાં હોય; તો તે સ્ત્રી તથા તેનાં છોકરાં તેના શેઠનાં થાય, ને પેલો એકલો છૂટે.
|
5. પણ જો તે દાસ સ્પષ્ટ કહે, ‘હું મારા શેઠને તથા મારી પત્નીને તથા મારાં છોકરાંને ચાહું છું; મારે તો છૂટવું નથી.’
|
6. તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય, ને તે તેને દ્વાર પાસે કે બારસાખ પાસે લાવે; અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે; એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય.
|
8. જે માણસે તેને રાખી હોય તેને જો તે ન ગમે, તો તે તેનું મૂલ્ય લઈને તેને છૂટી થવા દે. પારકા લોકોને ત્યાં તેને વેચવાની સત્તા તેને નથી, કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે.
|
13. પણ લાગ તાકીને જો કોઈ છુપાઈ રહ્યો ન હોય, પણ તેના હાથમાં ઈશ્વર કોઇને સોંપે, તો તેને નાસી જવા માટે એક જગા હું તારે માટે ઠરાવીશ.
|
14. અને જો કોઈ માણસ જાણીજોઈને પોતાના પડોશી પર ઘસી પડીને તેને કપટથી મારી નાખે; તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો.
|
16. અને જે કોઈ ચોરીથી મનુષ્યહરણ કરીને તેને વેચે, અથવા જો એ તેના કબજામાં મળી આવે, તો તે નક્કી માર્યો જાય.
|
18. અને જો કોઈ માણસો ઝઘડો કરતા હોય, ને એક જણ બીજાને પથ્થરથી કે મુક્કીથી એવો મારે કે તે મરી જાય નહિ પણ ખાટલે પડે;
|
19. અને જો તે પાછો ઊઠે ને લાકડીએ ટેકીને હરીફરી શેક, તો તેને મારનાર છૂટી જાય. ફક્ત એ તેના વખતની નુકસાની ભરી આપે, ને તેને પૂરેપૂરો સાજો કરાવી આપે.
|
20. અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને તેને ઠેર મારી નાખે, તો તેને નક્કી શિક્ષા થાય.
|
22. અને જો માણસો એકબીજા સાથે લડતાં કોઈ ગર્ભપાત નીપજે, પણ પાછળથી બીજું કંઈ નુકશાન ન થાય; તો તે સ્ત્રીનો ધણી તેને માથે ઠરાવે એટલો દંડ તેને આપવો પડશે; અને ન્યાયાધીશો ઠરાવે તે પ્રમાણે તે આપે.
|
26. અને જો કોઈ માણસ પોતાના ચાકરને આંખ પર કે પોતાની ચાકરડીને આંખ પર મારીને તે ફોડી નાખે, તો તેની આંખની ખાતર તે તેને છોડી દે.
|
27. અને જો તે પોતાના ચાકરનો દાંત કે પોતાની ચાકરડીનો દાંત ભાંગી નાખે, તો તેના દાંતની ખાતર તે તેને છોડી દે.
|
28. અને જો કોઈ બળદ કોઈ પુરુષને કે કોઈ સ્ત્રીને શિંગડું મારીને તેનું મોત નિપજાવે, તો તે બળદને નક્કી પથ્થરે મારવો, ને તેનું માંસ ન ખાવું; પણ બળદનો માલિક નિર્દોષ ઠરે.
|
29. પણ જો તે બળદને પહેલાંથી શિંગડું મારવાની ટેવ હોય, ને તેના માલિકને તેની ખબર હોય, તેમ છતાં તેણે માલિકને તેની ખબર હોય, તેમ છતાં તેણે તેને કબજે રાખ્યો ન હોય, ને તેથી તેણે કોઈ પુરુષનો અથવા સ્ત્રીનો જીવ લીધો હોય; તો તે બળદ પથ્થરે માર્યો જાય.
|
30. અને જો તેને માથે મૂલ્ય ઠરાવવામાં આવે, તો તેના જીવને સાટે જે મૂલ્ય તેને માથે ઠરાવવામાં આવે તે તે ભરી આપે.
|
31. તેણે કોઈના દીકરાને શિંગડું માર્યું હોય, કે કોઈની દીકરીને શિગડું માર્યું હોય, તોપણ આ કાનૂન પ્રમાણે તેના પર અમલ કરવો.
|
32. જો તે બળદ કોઈના ચાકરને કે કોઈની ચાકરડીને શિંગડું મારે; તો તેનો માલિક તેમના શેઠને ત્રીસ શેકેલ રૂપું ભરી આપે, ને તે બળદ પથ્થરે મરાય.
|
33. અને જો કોઈ માણસ કોઈ ખાડો ખોદે, અથવા જો કોઈ માણસ ખાડો ખોદીને તેને ઢાંકે નહિ, ને તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડી જાય,
|
35. અને જો કોઈ માણસનો બળદ બીજાના બળદને મારીને મારી નાખે; તો તેઓ જીવતા બળદને વેચીને તેની કિંમત વહેંચી લે, ને મરેલાને પણ તેઓ વહેંચી લે.
|
36. અથવા પોતાના બળદને અગાઉથી મારવાની ટેવ છે એવી ખબર તેના માલિકને હોવા છતાં, જો તેણે તેને કબજે રાખ્યો ન હોય; તો તે બળદને બદલે બળદ નક્કી આપે, ને મરેલું જાનવર તેનું થાય.
|