2. મેં કહ્યું, હું તો અત્યારે ઊઠીને નગરમાં, ગલીઓમાં તથા સરિયામ રસ્તાઓમાં ફરીને મારા પ્રાણપ્રિયને શોધીશ; મેં તેને શોધ્યો, પણ તે મને મળ્યો નહિ.
|
4. તેમનાથી ફકત થોડે જ છેટે હું ગઈ, એટલે મારો પ્રાણપ્રિય મને મળી ગયો; જ્યાં સુધી હું તેને મારી માના ઘરમાં, મારી જનેતાના ઓરડામાં લાવી, ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો, અને છોડયો નહિ.
|
5. હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું, કે તેની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને ઢંઢોળીને ઊઠાડસો નહિ કે જગાડશો નહિ.
|
6. ધુમાડાના સ્તંભો જેવો, અને બોળ, લોબાન તથા વેપારીઓનાં સર્વ સુગંધી દ્રવ્યો થી મહેંકતો, આ વગડાની વાટે આવતો દેખાય છે તે કોણ છે?
|
8. તેઓ સર્વ તરવરિયા તથા યુદ્ધમાં કુશળ છે; રાત્રે ભયના કારણથી તે પ્રત્યેક માણસની તરવાર તેની કમરે હોય છે.લ
|
10. તેણે તેના સ્તંભ રૂપાના, તેનું તળિયું સોનાનું, અને તેનું આસન જાંબુઆ રંગનું બનાવ્યું; તેમાં યરુશાલેમની પુત્રિઓએ પ્યારથી ચિત્રવિચિત્ર ભરત ભરેલું હતું.
|
11. હે સિયોનની પુત્રીઓ, નીકળી આવો, અને સુલેમાન રાજાના મનના ઉમંગને દિવસે, એટલે તેના લગ્નદિને જે મુગટ તેની માએ તેને પહેરાવ્યો છે તે મુગટસહિત, તેને નિહાળો.
|