3. જો વાદળાં વરસાદથી ભરેલાં હોય, તો તેઓ પૃથ્વી પર ઠલવાઈ જાય છે; જો કોઈ ઝાડ દક્ષિણ તરફ કકે ઉત્તર તરફ પડે, તો તે જ્યાં પડે ત્યાં જ રહેશે.
|
5. વાયુની ગતિ શી છે, તથા ગર્ભવતીના ઉદરમાં હાડકાં કેવી રીતે વધે છે તે જેમ તું નથી જાણતો, તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે બધું તું જાણતો નથી.
|
6. સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમ કે આ સફળ થશે કે, તે સફળ થશે તે તું જાણતો નથી.
|
8. જો માણસ ઘણાં વર્ષ જીવે, તો તે બધાં વર્ષો માં તેણે આનંદ કરવો; પણ તેણે અંધકારના દિવસ યાદ રાખવા, કેમ કે તેઓ ઘણા હશે. જે બધું બને છે તે વ્યર્થતા જ છે.
|
9. હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર; અને તારી જુવાનીના દિવસોમાં તારું હ્રદય તને ખુશ રાખે. તારા હ્રદયના માર્ગોમાં તથા તારી આંખોની દષ્ટિ પ્રમાણે તું ચાલ; પણ તારે નકકી જાણવું કે, આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.
|
10. માટે તારા અંત:કરણમાંથી ખેદ દૂર કર, ને તારું શરીર ભૂંડાઈથી દૂર રાખ; કેમ કે યુવાવસ્થા તથા ભરજુવાની વ્યર્થતા છે.
|