1. ત્યારે બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો,
2. “સત્તા તથા ભય તેમની પાસે છે; તે પોતાનાં ઉચ્ચસ્થાનોમાં શાંતિ કરે છે.
3. શું તેમનાં સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી ઊગતું?
4. તો ઈશ્વરની હજૂરમાં મનુષ્ય કેમ કરીને ન્યાયી ઠરે? કે સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?
5. જો, ચંદ્ર પણ નિસ્તેજ છે, અને તેમની દષ્ટિમાં તારાઓ પણ નિર્મળ નથી;
6. તો મનુષ્ય જે કીડા જેવો છે તે, અને મનુષ્યપુત્ર જે કીડો જ છે તે [કેવી રીતે પવિત્ર હોઈ શકે]!”