3. જુલમ કરવો તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટોની યોજના પર પ્રસન્નતા દેખાડવી, એ શું તમને શોભે?
|
15. જો હું દુષ્ટ હોઉં તો મને અફસોસ! અને હું નેક હોઉં તોપણ હું મારું માથું ઊંચું નહિ કરીશ; કેમ કે મને અતિશય શરમ લાગે છે, અને મારી વિપત્તિ મારી નજર આગળ છે.
|
16. જો હું ગર્વ કરું, તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો; અને ફરીને મારા ઉપર તમે તમારી અદ્દભુત શક્તિ બતાવો છો.
|
17. તમે મારી વિરુદ્ધ નવા નવા સાક્ષીઓ લાવો છો, અને મારા ઉપર તમારો રોષ વધારો છો; મારી સામે દુ:ખોની ફોજ પર ફોજ આવે છે.
|
18. તો તમે શા માટે મને ગર્ભમાંથી બહાર લાવ્યા છો? ત્યાં જ મેં પ્રાણ છોડયો હોત, અને કોઈએ મને જોયો ન હોત.
|
21. કેમ કે પછી તો જ્યાંથી પાછું નહિ આવી શકાય ત્યાં, એટલે અંધકારના તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે;
|
22. એટલે ઘોર અંધકારના દેશમાં, જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે, તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે તેવા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે.”
|