1. હવે યહૂદિયા તથા યરુશાલેમમાં જે યહૂદીઓ હતા, તેઓને પ્રબોધકો હાગ્ગાય તથા ઉદ્દોના પુત્ર ઝખાર્યાએ ઇઝરાયલના ઈશ્વરને નામે પ્રબોધ કર્યો,
|
2. ત્યારે શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ તથા યોસાદાકનો પુત્ર યેશૂઆ યરુશાલેમમાં ઈશ્વરનું જે મંદિર છે તે બાંધવા લાગ્યા. તેઓની સાથે ઈશ્વરના પ્રબોધકો તેમની સહાયમાં હતા.
|
3. તે જ સમયે નદી પારનો સૂબો તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેઓના સંગાથીઓએ તેમની પાસે આવીને એમ કહ્યું, “ આ મંદિર બાંધવાને તથા આ કોટ પૂરો કરવાને તમને કોણે આજ્ઞા આપી?”
|
5. પણ યહૂદીઓના વડીલો પર તેઓના ઈશ્વરની કૃપાર્દષ્ટિ હતી, માટે આ બાબત દાર્યાવેશને કાને પહોંચ્યા પછી પત્રદ્વારે જવાબ ન મળે ત્યાં સુધી તેઓએ તેમને અટકાવ્યા નહિ.
|
6. નદી પારનો સૂબો તાત્તનાય, શથાર-બોઝનાય, તથા તેના સંગાથી અફાર્સાખાયેઓ, જેઓ નદી પાર રહેતા હતા, તેઓએ જે પત્ર દાર્યાવેશ રાજા પર મોકલ્યો.
|
8. આપને વિદિત થાય કે, અમે યહૂદિયાના પ્રાંતમાં મહાન ઈશ્વરના મંદિરમાં ગયા હતા, તે મોટા પથ્થરોથી બાંધેલું છે ને ભીંતોમાં લક્કડ વાપરેલું છે, અને એ કામ તેઓ ખંતથી કરે છે, ને તે તેઓને હાથે આબાદ થતું જાય છે.
|
9. તે પ્રસંગે અમે તે વડીલોને પૂછ્યું, ‘આ મંદિર બાંધવાને તથા આ કોટ પૂરો કરવાને તમને કોણે હુકમ આપ્યો?’
|
11. તેઓએ અમને ઉત્તર આપ્યો, ‘અમે આકાશ તથા પૃથ્વીના ઈશ્વરના સેવકો છીએ; જે મંદિર આજથી ઘણા વર્ષો ઉપર ઇઝરાયલના એક મહાન રાજાએ બાંધીને પૂરું કર્યું હતું, તે જ અમે ફરીથી બાંધીએ છીએ.
|
12. પણ અમારા પિતૃઓએ આકાશના ઈશ્વરને કોપાયમાન કર્યાથી તેમણે બાબિલના રાજા કાસ્દી નબૂખાદનેસ્સારના હાથમાં તેઓને સોંપ્યા; તે આ મંદિરનો નાશ કરીને લોકોને બાબિલ લઈ ગયો. P
|
14. વળી ઈશ્વરના મંદિરનાં સોનારૂપાનાં પાત્રો નબૂખાદનેસ્સાર યરુશાલેમનાં મંદિરમાંથી કાઢીને બાબિલના મંદિરમાં લાવ્યો હતો, તે બધાં કોરેશ રાજાએ બાબિલના મંદિરમાંથી ઉઠાવીને શેશ્બાસાર સૂબાને સોંપ્યાં.
|
15. અને કોરેશે તેને ફરામાવ્યું કે, આ પાત્રોને યરુશાલેમનાં મંદિરમાં પાછા મૂક; અને ઈશ્વરનું મંદિર તેની અસલ જગાએ બંધાવ.
|
16. તે જ શેશ્બાસારે યરુશાલેમ આવીને ઈશ્વરના એ મંદિરનો પાયો નાખ્યો. અને ત્યારથી તેનું બાંધકામ ચાલું છે, તે હજી પૂરું થયું નથી.’
|
17. તો હવે, જો આપની ર્દષ્ટિમાં ઠીક લાગે તો, કોરેશ રાજાએ યરુશાલેમમાં ઈશ્વરનું આ મંદિર બાંધવાનો હુકમ કર્યો હતો કે નહિ, એની શોધ આપના બાબિલમાંના ભંડારમાં કરાવશો, અને તે બાબત આપની ઇચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો.”
|