2. તેમના શિષ્યોએ તેમને પૂછયું, “રાબ્બી, જે પાપને લીધે એ માણસ આંધળો જનમ્યો, તે પાપ કોણે કર્યું? એણે કે એનાં માતાપિતાએ?”
|
3. ઈસુએ ઉત્તર આપ્યો, “એણે કે એનાં માતાપિતાએ પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું.
|
4. જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમનાં કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી.
|
6. એમ કહીને તે જમીન પર થૂંક્યા, અને તે થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તે આંધળા ની આંખો પર ચોપડયો.
|
7. અને તેને કહ્યું કે, તું જઈને શિલોઆહ અર્થાત મોકલેલા ના કુંડમાં ધો.” ત્યારે તે ગયો, અને ધોઈને દેખતો થઈને ઘેર આવ્યો.
|
8. તે ઉપરથી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું, “જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?”
|
9. કેટલાકે કહ્યું, “ હા, એ તે જ છે.” બીજાઓએ કહ્યું, “ના, પણ તે તેના જેવો છે.” તેણે પોતે કહ્યું. “હું તે જ છું.”
|
11. તેણે ક્હ્યું, “જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ કર્યો, અને મારી આંખો પર ચોપડીને મને કહ્યું કે, તું શિલોઆહ ના કુંડ માં જઈને ધો; માટે હું ગયો અને ધોઈને દેખતો થયો.”
|
15. તે માટે ફરોશીઓએ પણ ફરીથી તેને પૂછયું, “તું શી રીતે દેખતો થયો?” તેણે તેઓને કહ્યું, “તેણે મારી આંખો પર કાદવ ચોપડયો, અને હું ધોઈને દેખતો થયો છું.”
|
16. તેથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું, “તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી.” પણ બીજાઓએ કહ્યું, “પાપી માણસ એવા ચમત્કાર શી રીતે કરી શકે?” એમ તેઓમાં બે પક્ષ પડયા.
|
17. તેથી તેઓ ફરીથી તે આંધળાને પૂછે છે, “તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?” ત્યારે તેણે કહ્યું, “તે પ્રબોધક છે.”
|
18. પણ યહૂદીઓએ તે દેખતાં થયેલાનાં માતાપિતાને તેડાવ્યાં ત્યાં સુધી તે આંધળો હતો, અને દેખતો થયો છે એમ તેઓએ માન્યું નહિ.
|
19. તેઓએ તેમને પૂછયું, “શું એ તમારો દીકરો છે કે, જેને વિષે તમે કહો છો કે, એ જન્મથી આંધળો હતો? તો હવે એ શી રીતે દેખતો થયો છે?”
|
21. પણ હમણાં એ શી રીતે દેખતો થયો છે, તે અમે જાણતાં નથી, તેમ જ એની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતાં નથી. એ પુખ્ત ઉંમરનો છે. એને પૂછો, એ પોતે કહેશે.”
|
22. તેનાં માતપિતા યહૂદીઓથી બીતાં હતાં માટે તેઓએ એમ કહ્યું, કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
|
24. તેથી જે આંધળો હતો, તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, “ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.”
|
25. ત્યારે તેણે ઉત્તર આપ્યો, “તે પાપી છે કે નહિ, એ હું જાણતો નથી. એક વાત હું જાણું છું કે, હું આંધળો હતો અને હવે હું દેખતો થયો છું.”
|
27. તેણે તેઓને ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ચાહો છો?”
|
30. તે માણસે ઉત્તર આપ્યો, “એ તો અજાયબ જેવું છે કે, તેણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનો છે, એ તમે જાણતા નથી.
|
31. આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી. પણ જો કોઈ ઈશ્વરનો ભક્ત હોય, અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તેનું તે સાંભળે છે.
|
34. તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે, અને શું તું અમને બોધ કરે છે?” પછી તેઓએ તેને કાઢી મૂક્યો.
|
35. તેઓએ તેને કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધી કાઢીને પૂછયું, “શું તું ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે?”
|
39. ત્યારે ઈસુએ કહ્યું, “જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય, માટે ન્યાયને માટે હું આ જગતમાં આવ્યો છું.”
|
41. ઈસુએ તેઓને કહ્યું, “જો તમે આંધળા હોત તો તમને પાપ ન લાગત, પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ, ’ માટે તમારું પાપ કાયમ રહે છે.”
|