2. અરે, શોરબકોરથી ભરપૂર, ઘોંઘાટ કરનાર નગર, મોજીલા શહેર, તારા મારેલા તો તરવારથી મારેલા નથી, ને યુદ્ધમાં મરણ પામેલા નથી.
|
3. તારા સર્વ અધિકારીઓ એકત્ર થઈને નાઠા, તીરંદાજોએ તેમને બાંધ્યા; તારામાંથી જે સર્વ હાથ આવ્યા તેઓને એકત્ર બાંધવામાં આવ્યા, તેઓ દૂર નાઠા હતા.
|
4. તેથી હું કહું છું કે, મારી તરફથી દષ્ટિ ફેરવો, હું ચોધાર આંસુએ રડીશ; મારા લોકની કન્યાના વિનાશને લીધે મને દિલાસો આપવા માટે શ્રમ કરશો નહિ.
|
5. કેમ કે દર્શનની ખીણમાં સૈન્યોના ઈશ્વર યહોવાએ મોકલેલો ગડગડાટ, પાયમાલી તથા ઘોંઘાટનો દિવસ છે; કોટનો નાશ કરવાનો, ને પર્વતની તરફ આક્રંદ કરવાનો તે દિવસ છે.
|
9. વળી તમે જોયું કે દાઉદના નગર ના કોટ માં ઘણે સ્થળે ફાટ પડી છે; અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું.
|
11. વળી તમે બે કોટોની વચમાં પુરાતન તળાવના પાણીને માટે કુંડ કર્યો; પરંતુ તમે આ બધા ના કર્તાની તરફ લક્ષ લગાડયું નહિ, ને પુરાતન કાળમાં જેણે આ રચ્યું તેને જોયો નહિ.
|
13. પણ જુઓ, તેને બદલે આનંદને હર્ષ, બળદ મારવાનું ને ઘેટાં કાપવાનું, માંસ ખાવાનું, ને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે! “કાલે મરી જઈશું માટે આપણે ખાઈપી લઈએ.”
|
14. મારા કાનોમાં સૈન્યોના ઈશ્વર યહોવાએ કહ્યું, “ખરેખર, આ અન્યાયનું પ્રાયાશ્ચિત તમારા મરણ સુધી થશે નહિ; મેં પ્રભુ સૈન્યોના ઈશ્વર યહોવાએ એમ કહ્યું છે.”
|
15. સૈન્યોના પ્રભુ યહોવા એવું કહે છે, “આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે,
|
16. ‘તારું અહીં શું છે? અને તારું અહીં કોણ છે કે, તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!
|
18. ખચીત તે તને લપેટી લપેટીને દડાની જેમ વિશાળ પ્રદેશમાં ફેંકી દેશે. ત્યાં તું મરી જઈશ, ને હે તારા ધણીના ઘરને કલંક લગાડનાર, તારા ભપકાદાર રથો ત્યાંજ રહેશે.
|
21. હું તેને તારો પોષાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ; અને તે યરુશાલેમ ના રહેવાસીઓ સાથે, તથા યહૂદિયાના માણસો સાથે પિતા પ્રમાણે વર્તશે.
|
22. હું દાઉદના ઘરની ચાવી તેની ખાંધ પર મૂકીશ; તેને તે ઉઘાડશે, ને કોઈ બંધ કરનાર મળશે નહિ; અને તે બંધ કરશે ત્યારે કોઈ ઉઘાડનાર મળશે નહિ.
|
23. હું તેને મજબૂત સ્થાનમાં ખીલાની જેમ ઠોકી બેસાડીશ; અને તે પોતાના પિતાના કુટુંબને માટે માનનું સ્થાન થશે.
|
24. તેઓ તેના પિતાના ઘરનો સર્વ વૈભવ, કુટુંબપરિવાર, પ્યાલાં જેવા નાનાં પાત્રથી તે શિરોઈ જેવાં પાત્ર સુધી, તે સર્વ તેના પર ટાંગી રાખશે.
|
25. સૈન્યોના ઈશ્વર યહોવાનું એવું વચન છે કે, તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; તે કપાઈ જઈને નીચે પડશે, ને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે; કેમ કે યહોવા એવું બોલ્યા છે.’”
|