2. જે મરિયમે પ્રભુને અત્તર ચોળ્યું હતું, અને તેમના પગ પોતાને ચોટલે લૂછયા હતા, તેનો ભાઈ લાજરસ માંદો હતો.
|
4. પણ ઈસુએ એ સાંભળીને કહ્યું, “જેથી મરણ થાય એવી આ માંદગી નથી. પણ તે ઈશ્વરના મહિમાને અર્થે છે કે તેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.”
|
8. શિષ્યો તેમને કહે છે, “રાબ્બી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થર મારવાની કોશિશ કરતા હતા; તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?”
|
9. ઈસુએ ઉત્તર આપ્યો, “શું દિવસના બાર કલાક નથી? દિવસે જો કોઈ ચાલે, તો તે આ જગતનો પ્રકાશ જુએ છે, માટે ઠોકર ખાતો નથી.
|
11. તેમણે એ વાતો કહી, અને ત્યાર પછી તે તેઓને કહે છે, “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે. પણ હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.”
|
13. ઈસુએ તો તેના મરણ વિષે કહ્યું હતું; પણ તેઓને એવું લાગ્યું કે, તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું.
|
15. અને હું ત્યાં નહોતો, માટે તમારી ખાતર હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો. પણ ચાલો, આપણે તેની પાસે જઈએ.
|
16. ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્યબંધુઓને કહ્યું કે, “આપણે પણ જઈએ, અને તેની સાથે મરી જઈએ.”
|
17. હવે જ્યારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને માલૂમ પડયું કે, તેને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે.
|
25. ઈસુએ તેને કહ્યું, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તોપણ જીવતો થશે,
|
26. અને જે કોઈ જીવે છે, અને મારા પર વિશ્વાસ રાખે છે, તે કદી મરશે નહિ જ. તું શું એવો વિશ્વાસ રાખે છે?”
|
27. તે તેમને કહે છે, “હા, પ્રભુ; મેં વિશ્વાસ રાખ્યો છે કે તમે ઈશ્વરના દીકરા, ખ્રિસ્ત, જે જગતમાં આવનાર છે તે જ છો.”
|
28. એમ કહીને તે ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું, “ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.”
|
31. ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા અને તેને દિલાસો આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર આગળ વિલાપ કરવાને જાય છે, એવું ધારીને તેઓ તેની પાછળ ગયા.
|
32. જ્યાં ઈસુ હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે લાગીને તેમને કહ્યું, “પ્રભુ, જો તમે અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.”
|
33. ત્યારે તેને રડતી જોઈને, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, ઈસુએ મનમાં નિસાસો મૂક્યો, અને પોતે વ્યાકુળ થયા.
|
37. પણ તેઓમાંના કેટલાકે કહ્યું, “જેમણે આંધળાની આંખો ઉઘાડી, તેમનામાં શું આ માણસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?”
|
39. ઈસુ કહે છે, “પથ્થરને ખસેડો.” મરનારની બહેન માર્થા તેમને કહે છે, “પ્રભુ, હવે તો તે ગંધાતો હશે; કેમ કે આજે તેને ચાર દિવસ થયા.”
|
41. ત્યારે તેઓએ પથ્થર ખસેડયો. અને ઈસુએ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું.
|
42. અને તમે નિત્ય મારું સાંભળો છો એ હું જાણું છું. પણ જે લોકો આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.”
|
44. ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટાયેલો બહાર આવ્યો! અને તેનો મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, “એનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.”
|
45. આથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે જે કર્યું તે જોયું હતું, તેઓમાંના ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો.
|
47. એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું, “આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે.
|
48. જો આપણે તેને એમ ને એમ જ રહેવા દઈએ, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે, અને રોમનો આવીને આપણું ઠામઠેકાણું તથા પ્રજાપણું લઈ લેશે.”
|
51. (આ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકની વતી ઈસુ મરશે.
|
52. અને એકલા આ લોકની વતી નહિ, પણ ઈશ્વરનાં વિખેરાઈ ગયેલાં છોકરાંઓને પણ તે એકત્ર કરીને એક કરે તે માટે).”
|
54. તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઉઘાડી રીતે ઈસુ ફર્યા નહિ, પણ ત્યારથી અરણ્યની પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા; અને પોતાના શિષ્યો સાથે ત્યાં રહ્યા.
|
55. હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, અને પાસ્ખા અગાઉ પોતાને શુદ્ધ કરવાને માટે ઘણા લોકો બહાર ગામથી યરુશાલેમ ગયા હતા.
|
56. તેથી તેઓએ ઈસુની શોધ કરી અને મંદિરમાં ઊભા ઊભા અંદરોઅંદર પૂછવા લાગ્યા, “તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાના નથી?”
|
57. હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવો હુકમ કર્યો હતો કે, તે ક્યાં છે તેની જો કોઈ માણસને ખબર પડે તો તેણે ખબર આપવી, જેથી તેઓ તેમને પકડે.
|