1. વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વર પાસેથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ. કેમ કે જગતમાં જૂઠાં પ્રબોધકો ઘણાં નીકળ્યા છે.
|
2. ઈસુ ખ્રિસ્ત મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વર પાસેથી છે; એથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો.
|
3. જે દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે ઈશ્વર પાસેથી નથી. અને ખ્રિસ્તવિરોધીના જે આત્મા વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે. અને તે હમણાં પણ જગતમાં છે.
|
4. બાળકો, તમે ઈશ્વરનાં છો, ને તમે તેઓને જીત્યા છે; કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મહાન છે.
|
6. આપણે ઈશ્વરનાં છીએ:જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે. જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી. એથી આપણે સત્યના આત્માને તથા ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ.
|
7. વહાલાંઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે. અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે, અને ઈશ્વરને ઓળખે છે.
|
9. ઈશ્વરે પોતાના એકનાએક પુત્રને જગતમાં મોકલ્યા કે, આપણે તેમનાથી જીવીએ, એ પરથી આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો.
|
10. આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્વિત થવા માટે મોકલ્યા, એમાં પ્રેમ છે.
|
12. કોઈએ ઈશ્વરને કદી જોયા નથી! જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, તો ઈશ્વર આપણામાં રહે છે ને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે.
|
13. આપણે તેમનામાં રહીએ છીએ, ને તે આપણામાં રહે છે, તે પરથી આપણે જાણીએ છીએ કે તેમણે પોતાના પવિત્ર આત્માનું દાન આપણને આપ્યું છે.
|
16. ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ, અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે; અને જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં ને ઈશ્વર તેનામાં રહે છે.
|
17. એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે કે, ન્યાયકાળે આપણને હિંમત રહે; કેમ કે જેવા તે છે, તેવા આપણે આ જગતમાં છીએ.
|
18. પ્રેમમાં ભય નથી; પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે; અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી.
|
20. જો કોઈ કહે, “હું ઈશ્વર પર પ્રેમ રાખું છું” પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તો તે જૂઠો છે; કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો ઈશ્વર જેમને તેણે જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી.
|
21. જે ઈશ્વર પર પ્રેમ રાખે છે, તેણે પોતાના ભાઈ ઉપર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે.
|