1. જ્યારે સૂરના રાજા હીરામે દાઉદને માટે મહેલ બાંધવાને તેની પાસે સંદેશિયા સાથે એરેજકાષ્ટ તથા કડિયા ને સુતારો મોકલ્યાં,
|
2. ત્યારે તેણે જાણ્યું કે યહોવાએ મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થપિત કર્યો છે, અને તેના ઇઝરાયલી લોકોની ખાતર મારા રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે.
|
8. જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે સર્વ પલિસ્તીઓ દાઉદની શોધ કરવા ચઢી આવ્યા. તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો.
|
10. એ વખતે દાઉદે ઈશ્વરની સલાહ પૂછી, “શું હું પલિસ્તીઓની વિરુદ્ધ ચઢાઈ કરું? તમે તેઓને મારા હાથમાં સોંપશો?” યહોવાએ તેને કહ્યું, “ચઢાઈ કર; હું તેઓને તારા હાથમાં સોપીશ.”
|
11. આ પ્રમાણે તેઓની સવારી “બાલ-પરાસીમ સુધી આવી પહોંચી, એટલે દાઉદે ત્યાં તેઓને હરાવીને નસાડ્યા. દાઉદે કહ્યું, “જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ યહોવાએ મારી આગળ મારા શત્રુઓનો સંહાર કર્યો છે.” એ માટે તેઓએ તે જગાનું નામ બાલ-પરાસીમ પાડ્યું.
|
14. દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ પૂછી. ઈશ્વરે તેને કહ્યું, “તું તેઓના ઉપર ચઢાઈ કરીશ નહિ; પણ ચકરાવો ખાઇ તેમની પાછળ જઈને શેતૂરવૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર.
|
15. જ્યારે શેતૂરવૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખડખડાટ સંભળાય, ત્યારે તું બહાર નીકળી આવીને હુમલો કરજે, કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા માટે ઈશ્વર તારી આગળ ગયા છે.”
|
16. જેમ ઈશ્વરે તેને આજ્ઞા કરી હતી તેમ દાઉદે કર્યું, તેઓએ ગિબ્યોનથી છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો.
|