4. જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ ફજેત થઈને આબરૂહીન થાઓ; જેઓ મારું નુકસાન તાકે છે તેઓ પાછા હઠો અને વીલા પડો.
|
7. કેમ કે તેઓએ વગર કારણે મારે માટે ખાડા(માં) પોતાનો ફાંદો સંતાડી રાખ્યો છે, વિનાકારણ તેઓએ મારા જીવને માટે (ખાડો) ખોદ્યો છે.
|
8. તેના પર ઓચિંતો સંહાર આવી પડો; અને તેના સંતાડેલા ફાંદામાં તે પોતે સપડાઈ જાઓ; તેમાં પડીને તેનો સંહાર થાઓ.
|
10. મારાં સર્વ હાડકાં કહેશે, “હે યહોવા, તમારા સરખો કોણ છે?” તે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે, અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.
|
13. પણ તેઓ માંદા પડ્યા હતા ત્યારે તો હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુ:ખી કરતો; અને મારી પ્રાર્થના મારા હ્રદયમાં પાછી આવતી હતી.
|
14. જાણે તે મારો મિત્ર કે મારો ભાઈ હોય તેમ હું તેની સાથે વર્તતો; પોતાની માને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો.
|
15. પણ મારી પડતીને સમયે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા. તેઓ ટોળે વળીને મારી નિંદા કરતા અને હું(તે) જાણતો નહિ; એવી રીતે તેઓ મને ફાડી નાખતા અને અટકતા નહિ.
|
19. જેઓ ગેરવાજબી રીતે મારા શત્રુઓ થયા છે, તેઓ મારા ઉપર આનંદ ન કરો, જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે તેઓ આંખના મિચકારા ન મારો.
|
25. તેઓ પોતાના હ્રદયમાં એમ ન કહે, “આહા, અમારે એ જ જોઈતું હતું.” તેઓ એમ ન કહે, “અમે તેને ગળી ગયા છીએ.”
|
26. મારા નુકસાનમાં હર્ષ પામનારા સર્વ ફજેત થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ અહંકાર કરનારાઓની લાજ નષ્ટ થાઓ, તથા તેઓ અપમાન પામો.
|
27. જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે તેઓ હર્ષ પામીને જયજયકાર કરો, હા, તેઓ હંમેશાં કહો, “જે પોતાના સેવકની આબાદીમાં રાજી રહે છે તે યહોવા મોટા મનાઓ.”
|