1. ભાઈઓ, જેમ આધ્યાત્મિકોની સાથે વાત કરું તેમ તમારી સાથે હું વાત કરી શક્યો નહિ, પણ જેમ સાંસારિકોની સાથે, એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે તેમ મેં વાત કરી.
|
3. કેમ કે તમે હજી સાંસારિક છો, કેમ કે તમારામાં ઈર્ષા તથા કજિયા છે, માટે શું તમે સાંસારિક નથી, અને સાંસારિક માણસોની જેમ વર્તતા નથી?
|
4. કેમ કે જ્યારે એક કહે છે, “હું પાઉલનો છું”; અને બીજો કહે છે, “હું આપોલસનો છું.” ત્યારે તમે માણસ ની જેમ બોલતા નથી?
|
5. તો આપોલાસ કોણ છે? અને પાઉલ કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો; જેમ દરેકને પ્રભુએ દાન આપ્યું તેમ તેઓએ સેવા કરી.
|
10. ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે, અને તેના પર બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે. તે વિષે દરેકે સાવધ રહેવું.
|
13. તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે. કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે.
|
17. જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે, કેમ કે ઈશ્વરનું મંદિર પવિત્ર છે, અને તે મંદિર તમે છો.
|
18. કોઈ પોતાને ન ભુલાવે, જો આ સમયમાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની ધારતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું.
|
19. કેમ કે આ જગતનું ન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે, “તે જ્ઞાનીઓને તેઓની પક્કાઈમાં સપડાવે છે;”
|