1. કેમ કે, મારા ભાઈઓ, મારી ઇચ્છા નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળા ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા.
|
4. અને સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.
|
6. હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે માટે ચેતવણીરૂપ હતી.
|
7. જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેમ તમે ન થાઓ. લખેલું છે, “લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા.”
|
9. વળી જેમ તેઓમાંના કેટલાકે પ્રભુનું પરીક્ષણ કર્યું, અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેમનું પરીક્ષણ કરીએ નહિ.
|
11. હવે એ બધું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું. અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવા આપણને બોધ મળે તેને માટે તે લખવામાં આવ્યું છે.
|
13. માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.
|
16. આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માગીએ છીએ, તે શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી?
|
17. કેમ કે એક જ રોટલી છે, માટે આપણે ઘણા છતાં એક શરીરરૂપ છીએ, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ.
|
20. ના, પણ હું કહુ છું કે, વિધર્મીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ પણ દુષ્ટદેવતાઓને આપે છે અને તમે દુષ્ટદેવતાનો સંગ કરો, એવી મારી ઇચ્છા નથી.
|
21. તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટદેવતાઓનો પ્યાલો પી શકતા નથી, તેમ જ તમે પ્રભુની મેજની સાથે દુષ્ટદેવતાઓની મેજના ભાગીદાર થઈ શકતા નથી.
|
27. જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ કરે, અને તમે જવા ચાહતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછયા વિના ખાઓ.
|
28. પણ જો કોઈ તમને કહે કે, એ તો મૂર્તિનું નૈવેદ છે, તો જેણે તે દેખાડયું તેની ખાતર, તથા પ્રેરકબદ્ધિની ખાતર તે ન ખાઓ.
|
29. હું જે પ્રેરિકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ પેલા બીજાની; કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે?
|
30. જો હું આભારપૂર્વક તે ખાઉં, તો જેને માટે હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે?
|
33. તેઓ તારણ પામે માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાનું હિત જોઉં છું, તેમ જ તમે કરો.
|