1. માણસોની દુષ્ટતા મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક ભૂંડાઈ કરી છે. ભલું કરનાર કોઈ નથી.
|
4. શું ભૂંડું કરનારા કંઈ સમજતાં નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકને ખાઈ જાય છે, વળી તેઓ ઈશ્વરને વિનંતી કરતા નથી.
|
5. જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને ફજેત કર્યા છે, કેમ કે ઈશ્વરે તેઓને ધિક્કાર્યા હતા.
|
6. સિયોનમાંથી ઇઝરાયલનું તારણ વહેલું આવે તો કેવું સારું! ઈશ્વર પોતાના લોકને બંધનમાંથી છોડાવીને આબાદ કરશે, ત્યારે યાકૂબ હરખાશે, ને ઇઝરાયલ આનંદ કરશે.
|