પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ચર્મિયા
1. બાબિલ તથા ખાલદીઓના દેશ વિષે જે વચન યહોવાએ યર્મિયા પ્રબોધકની મારફતે કહ્યું તે આ છે.
2. “પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો, ધ્વજા ચઢાવો; પ્રગટ કરો, ને ગુપ્ત ન રાખો. કહો કે, બાબિલને જીતી લેવામાં આવ્યું છે, બેલ લજ્જિત થયો છે, મેરોદાખના ભાંગીને કકડેકકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓ લજ્જિત થઈ છે, તેનાં પૂતળાં ભાંગીતૂટી ગયાં છે.
3. ઉત્તર દિશાથી લોકો તેના પર ચઢી આવે છે, તેઓ તેની ભૂમિ ઉજ્જડ કરી નાખશે, તેમાં કોઈ રહેશે નહિ; મનુષ્ય તથા પશુ બન્ને ત્યાંથી નાસી ગયા છે.
4. યહોવા કહે છે, તે દિવસોમાં તથા તે સમયમાં ઇઝરાયલના તથા યહૂદિયાના લોકો ભેગા થઈને આવશે. તેઓ રસ્તે રડતા રડતા ચાલ્યા જશે, ને પોતાના ઈશ્વર યહોવાને શોધશે.
5. તેઓ સિયોન તરફ પોતાનાં મુખ રાખીને ત્યાં જવાનો માર્ગ પૂછશે, અને કહેશે, ‘ચાલો, નહિ વીસરાય એવો સર્વકાલીન કરાર કરીને આપણે યહોવાની સાથે મળી જઈએ.’
6. મારા લોકો ભૂલાં પડેલાં ઘેટાં જેવાં છે; તેઓના પાળકોએ તેઓને ભમાવ્યા છે, તેઓને પર્વતો પર અવળે માર્ગે લઈ ગયા છે. તેઓ પર્વત પરથી ઊતરીને ડુંગર પર ગયા છે, તેઓ પોતાનું વિશ્રામસ્થાન ભૂલી ગયા છે.
7. જેઓ તેઓને મળ્યા, તેઓ સર્વ તેઓને ખાઈ ગયા છે. તેઓના શત્રુઓએ કહ્યું, ‘તેઓએ પોતાના ન્યાયાસ્પદ યહોવા, હા તેઓના પૂર્વજોની આશા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તેથી અમે દોષપાત્ર ઠરીશું નહિ.
8. બાબિલમાંથી નાસો, ખાલદીઓના દેશમાંથી નીકળી જાઓ, ને ટોળાંની આગળ ચાલનારા બકરા જેવા થાઓ.
9. કેમ કે, જુઓ, હું ઉત્તર દિશાથી મોટી પ્રજાઓના સમુદાયને ઉશ્કેરીને બાબિલ પર ચઢાવીશ; તેઓ તેની સામા હારબંધ ઊભા રહેશે. ત્યાંથી તેને લઈ લેવામાં આવશે; તેઓનાં તીર કુશળ અને બહાદુર [ધનુર્ધારીઓ] ના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછો આવશે નહિ.
10. ખાલદી દેશને લૂંટવામાં આવશે. જેઓ તેને લૂંટે છે તેઓ સર્વ [લૂંટથી] તૃપ્ત થશે, એવું યહોવા કહે છે.
11. રે મારા વારસાને લૂંટનારાઓ, તમે આનંદ તથા મોજ કરો છો, મલકાણે ચઢેલી વાછરડીની જેમ કુદકારા કરો છો, ને બળવાન ઘોડાઓની જેમ ખોંખારો છો.
12. તેથી તમારી માતા બહુ લજ્જિત થશે, ને તમારી જનેતા શરમાશે! જુઓ, તે વગડો, સૂકી ભૂમિ તથા ઉજ્જડ થઈને કનિષ્ઠ દેશ ગણાશે.
13. યહોવાના કોપને લીધે તેમાં વસતિ થશે નહિ, તે છેક ઉજ્જડ રહેશે. જે કોઈ બાબિલની પાસે થઈને જશે તે વિસ્મય પામશે, ને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.
14. હે સર્વ ધનુર્ધારીઓ, બાબિલની સામે ચોતરફ હારબંધ ઊભા રહો; તેને તાકીને બાણ મારો, તીર પાછાં ન રાખો. કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.
15. તેની સામે ચારે તરફથી રણનાદ કરો; તે શરણે થઈ છે; તેના બુરજો પડયા છે, તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે; કેમ કે યહોવાએ લીધેલો બદલો તો એ છે. તેની પાસેથી બદલો લો; જેવું તેણે [બીજાઓને] કર્યું છે તેવું તેને કરો.
16. બાબિલમાંથી વાવનારને તથા કાપણીની વેળા દાતરડું ચલાવનારને નષ્ટ કરો; જુલમી તરવારને લીધે તેઓ પોતપોતાના લોકોની પાસે દોડી આવશે, ને પોતપોતાના વતનમાં નાસી જશે.
17. ઇઝરાયલ રખડેલ ઘેટો છે. સિંહોએ તેને નસાડી મૂક્યો છે; પ્રથમ તો આશૂરનો રાજા તેને ખાઈ ગયો; અને હવે છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેનાં હાડકાં ભાંગી નાખ્યા છે.
18. તેથી સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, જેમ મેં આશૂરના રાજાને શાસન આપ્યું, તેમ બાબિલના રાજાને તથા તેના દેશને હું શાસન આપીશ.
19. પછી ઇઝરાયલને હું તેના બીડમાં પાછો લાવીશ, ને તે કાર્મેલ તથા બાશાન પર ચઢશે, અને તેનો જીવ એફ્રાઈમ પર્વત પર તથા ગિલ્યાદમાં તૃપ્ત થશે.
20. યહોવા કહે છે કે, તે દિવસોમાં તથા તે સમયમાં લોકો ઇઝરાયલનો દોષ શોધશે પણ તે જડશે નહિ. અને યહૂદિયાનાં પાતકો શોધશે, પણ તે જડશે નહિ; કેમ કે જેઓને હું રહેવા દઈશ તેઓને હું ક્ષમા કરીશ.
21. મેરાથાઇમ દેશ પર, હા, તે જ દેશ પર, ને પેકોદના રહેવાસીઓ પર ચઢાઈ કર. તેઓની પાછળ પડીને તેમનો ઘાત કર, ને તેઓનું સત્યાનાશ વાળ. મેં તને જે સર્વ કરવાનું ફરમાવ્યું છે તે પ્રમાણે કર, એવું યહોવા કહે છે.
22. દેશમાં યુદ્ધનો રણનાદ તથા વિનાશનો પોકાર સંભળાય છે.
23. આખી પૃથ્વીનો હથોડો કેવો કપાઈ ગયો તથા ભાંગીતૂટી ગયો છે! રાજ્યોમાં બાબિલ કેવો ઉજ્જડ થયો છે!
24. હે બાબિલ, મેં તારે માટે છટકું માંડયું છે; તું સપડાયો છે, ને તું તે જાણતો ન હતો! તું હાથ આવ્યો, ને તું પકડાયો પણ છે. કેમ કે તેં યહોવાની સાથે બાથ ભીડી છે.
25. યહોવાએ પોતાનો શસ્ત્રભંડાર ઉઘાડીને પોતાના કોપનાં હથિયાર કાઢયાં છે; કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાને ખાલદીઓના દેશમાં કામ કરવાનું છે.
26. છેક છેડેથી તેના પર ચઢી આવો, તેના કોઠારોને ઉઘાડી; તેના ઢગલા કરી નાખો, ને તેનો નાશ કરો; તેમાંથી કંઈ પણ બાકી રહેવા ન દો.
27. તેના સર્વ બળદોને મારી નાખો. તેઓને કતલ થવા માટે નીચે ઊતરી જવા દો! તેઓને અફસોસ! તેઓનો દિવસ, તેઓના શાસનનો સમય, આવ્યો છે.
28. આપણા ઈશ્વર યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સ્વર સંભળાય છે.
29. બાબિલની સામે તીરંદાજોને, જેટલા ધનુષ્ય ખેંચી શકે તે તમામને બોલાવો. તેની આસપાસ ઘેરો નાખો. તેમાંનો કોઈ પણ બચી જાય નહિ; તેની કરણી પ્રમાણે તેને પ્રતિફળ આપો. જે સર્વ તેણે [બીજાઓને] કર્યું છે, તે પ્રમાણે તેને કરો; કેમ કે યહોવાની આગળ, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની આગળ, તે ઉદ્ધત થયો છે.
30. તેથી તેના જુવાનો તેના મહોલ્લાઓમાં પડશે, ને તેના સર્વ લડવૈયા તે દિવસે નાશ પામશે, ” એવું યહોવા કહે છે.
31. સૈન્યોના પ્રભુ યહોવા કહે છે, “અરે ઉદ્ધત, જો, હું તારી વિરુદ્ધ છું; કેમ કે તને શિક્ષા કરવાનો સમય, નિર્માણ થયેલો દિવસ આવ્યો છે.
32. ઉદ્ધત ઠોકર ખાઈને પડશે, કોઈ તેને ઉઠાવશે નહિ. હું તનાં નગરોમાં આગ લગાડીશ, તે તેની ચોતરફનું બધું બાળીને ભસ્મ કરશે.
33. સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે, ઇઝરાયલ તથા યહૂદિયાના લોકો બન્ને પર જુલમ ગુજારવામાં આવે છે! જેઓ તેમને બંદીવાસમાં લઈ ગયા તેઓ તેમને પકડી રાખે છે. તેઓ તેમને છોડી મૂકવા ના કહે છે.
34. તેઓનો ઉદ્ધારનાર બળવાન છે; તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે. પૃથ્વી પર શાંતિ ફેલાવવાને, ને બાબિલના રહેવાસીઓને કંપાવવાને તે નિશ્ચય તેઓનો પક્ષ લેશે.
35. યહોવા કહે છે, ખાલદીઓ પર, બાબિલના રહેવાસીઓ પર, તેના સરદારો પર તથા તેના જ્ઞાનીઓ પર તરવાર આવી પડી છે.
36. લવરી કરનારાઓ પર તરવાર આવી પડી છે, તેઓ ઘેલા બની જશે; તેના શૂરવીરો પર તરવાર આવી છે, ને તેઓ ભયભીત થશે.
37. તેના ઘોડાઓ પર, તેના રથો પર તથા તેઓમાંના મિશ્ર લોકો પર તરવાર આવી છે, તેઓ સ્ત્રીઓના જેવા થશે; તેના ખજાનાઓ પર તરવાર આવી છે, ને તેઓને લૂંટી લેવામાં આવશે.
38. તેનાં જળાશયો પર સૂકવણું આવ્યું છે, તેઓ સુકાઈ જશે; કેમ કે તે કોતરેલી મૂર્તિઓનો દેશ છે, ને તેઓ પોતાનાં પૂતળાં ઉપર મોહિત થયા છે.
39. તેથી ત્યાં જંગલી પશુઓ તથા વરુઓ વસશે, ને તેમાં શાહમૃગો રહેશે; તે સદા નિર્જન રહેશે; અને ત્યાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ.
40. યહોવા કહે છે, ઈશ્વરે સદોમ, ગમોરા તથા તેઓની પાસેનાં નગરોની પાયમાલી કરી ત્યારે જેવું થયું તેવું ત્યાં થશે. એટલે ત્યાં કોઈ માણસ વસશે નહિ, અને તેમાં કોઈ પણ માણસ મુકામ કરશે નહિ.
41. જુઓ, ઉત્તર દિશાથી લોકો આવે છે, ને પૃથ્વીને છેડેથી એક મહાન પ્રજા તથા ઘણા રાજાઓ ચઢી આવશે.
42. તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરનારા છે. તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી. તેઓ સમુદ્રની જેમ ગર્જના કરે છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; જેમ શૂરવીર લડાઈને માટે [તૈયારી કરે છે] તેમ, રે બાબિલની દીકરી, તેઓ તારી વિરુદ્ધ સજ્જડ થયેલા છે.
43. બાબિલના રાજાએ તેઓના સમાચાર સાંભળ્યા છે, ને તેના હાથ હેઠા પડયા છે; તેને પીડા થાય છે, તથા પ્રસૂતાના જેવી વેદના થાય છે.
44. જુઓ, સિંહ યર્દનના પૂરમાંથી ચઢી આવે, તેમ તે કાયમના રહેઠાણ પર ચઢી આવશે. પણ હું તેમને ઓચિંતા તેની પાસેથી નસાડીશ; અને જે પસંદ થયેલો છે તેને હું તેના પર ઠરાવીશ; કેમ કે મારા જોવો કોણ છે? અને મારે માટે મુદત કોણ ઠરાવે? અને મારી સામે ઊભો રહે એવો ઘેટાંપાળક કોણ છે?
45. તે માટે યહોવાનો જે સંકલ્પ તેણે બાબિલની વિરુદ્ધ કર્યો છે, ને તેમણે જે ઇરાદા ખાલદીઓના દેશથી વિરુદ્ધ કર્યા છે, તે સાંભળો; ટોળાંમાનાં જે સહુથી નાનાં તેઓને તેઓ પણ નક્કી ઘસડી લઈ જશે. તે તેઓની સાથે તેઓનું રહેઠાણ ખચીત ઉજ્જડ કરી નાખશે.
46. બાબિલના પડવાના ધબકારાથી પૃથ્વી કંપે છે, ને તેનો અવાજ [દૂરના] દેશો સુધી સંભળાય છે.”

Notes

No Verse Added

Total 52 Chapters, Current Chapter 50 of Total Chapters 52
ચર્મિયા 50
1. બાબિલ તથા ખાલદીઓના દેશ વિષે જે વચન યહોવાએ યર્મિયા પ્રબોધકની મારફતે કહ્યું તે છે.
2. “પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો, ધ્વજા ચઢાવો; પ્રગટ કરો, ને ગુપ્ત રાખો. કહો કે, બાબિલને જીતી લેવામાં આવ્યું છે, બેલ લજ્જિત થયો છે, મેરોદાખના ભાંગીને કકડેકકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓ લજ્જિત થઈ છે, તેનાં પૂતળાં ભાંગીતૂટી ગયાં છે.
3. ઉત્તર દિશાથી લોકો તેના પર ચઢી આવે છે, તેઓ તેની ભૂમિ ઉજ્જડ કરી નાખશે, તેમાં કોઈ રહેશે નહિ; મનુષ્ય તથા પશુ બન્ને ત્યાંથી નાસી ગયા છે.
4. યહોવા કહે છે, તે દિવસોમાં તથા તે સમયમાં ઇઝરાયલના તથા યહૂદિયાના લોકો ભેગા થઈને આવશે. તેઓ રસ્તે રડતા રડતા ચાલ્યા જશે, ને પોતાના ઈશ્વર યહોવાને શોધશે.
5. તેઓ સિયોન તરફ પોતાનાં મુખ રાખીને ત્યાં જવાનો માર્ગ પૂછશે, અને કહેશે, ‘ચાલો, નહિ વીસરાય એવો સર્વકાલીન કરાર કરીને આપણે યહોવાની સાથે મળી જઈએ.’
6. મારા લોકો ભૂલાં પડેલાં ઘેટાં જેવાં છે; તેઓના પાળકોએ તેઓને ભમાવ્યા છે, તેઓને પર્વતો પર અવળે માર્ગે લઈ ગયા છે. તેઓ પર્વત પરથી ઊતરીને ડુંગર પર ગયા છે, તેઓ પોતાનું વિશ્રામસ્થાન ભૂલી ગયા છે.
7. જેઓ તેઓને મળ્યા, તેઓ સર્વ તેઓને ખાઈ ગયા છે. તેઓના શત્રુઓએ કહ્યું, ‘તેઓએ પોતાના ન્યાયાસ્પદ યહોવા, હા તેઓના પૂર્વજોની આશા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તેથી અમે દોષપાત્ર ઠરીશું નહિ.
8. બાબિલમાંથી નાસો, ખાલદીઓના દેશમાંથી નીકળી જાઓ, ને ટોળાંની આગળ ચાલનારા બકરા જેવા થાઓ.
9. કેમ કે, જુઓ, હું ઉત્તર દિશાથી મોટી પ્રજાઓના સમુદાયને ઉશ્કેરીને બાબિલ પર ચઢાવીશ; તેઓ તેની સામા હારબંધ ઊભા રહેશે. ત્યાંથી તેને લઈ લેવામાં આવશે; તેઓનાં તીર કુશળ અને બહાદુર ધનુર્ધારીઓ ના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછો આવશે નહિ.
10. ખાલદી દેશને લૂંટવામાં આવશે. જેઓ તેને લૂંટે છે તેઓ સર્વ લૂંટથી તૃપ્ત થશે, એવું યહોવા કહે છે.
11. રે મારા વારસાને લૂંટનારાઓ, તમે આનંદ તથા મોજ કરો છો, મલકાણે ચઢેલી વાછરડીની જેમ કુદકારા કરો છો, ને બળવાન ઘોડાઓની જેમ ખોંખારો છો.
12. તેથી તમારી માતા બહુ લજ્જિત થશે, ને તમારી જનેતા શરમાશે! જુઓ, તે વગડો, સૂકી ભૂમિ તથા ઉજ્જડ થઈને કનિષ્ઠ દેશ ગણાશે.
13. યહોવાના કોપને લીધે તેમાં વસતિ થશે નહિ, તે છેક ઉજ્જડ રહેશે. જે કોઈ બાબિલની પાસે થઈને જશે તે વિસ્મય પામશે, ને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.
14. હે સર્વ ધનુર્ધારીઓ, બાબિલની સામે ચોતરફ હારબંધ ઊભા રહો; તેને તાકીને બાણ મારો, તીર પાછાં રાખો. કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.
15. તેની સામે ચારે તરફથી રણનાદ કરો; તે શરણે થઈ છે; તેના બુરજો પડયા છે, તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે; કેમ કે યહોવાએ લીધેલો બદલો તો છે. તેની પાસેથી બદલો લો; જેવું તેણે બીજાઓને કર્યું છે તેવું તેને કરો.
16. બાબિલમાંથી વાવનારને તથા કાપણીની વેળા દાતરડું ચલાવનારને નષ્ટ કરો; જુલમી તરવારને લીધે તેઓ પોતપોતાના લોકોની પાસે દોડી આવશે, ને પોતપોતાના વતનમાં નાસી જશે.
17. ઇઝરાયલ રખડેલ ઘેટો છે. સિંહોએ તેને નસાડી મૂક્યો છે; પ્રથમ તો આશૂરનો રાજા તેને ખાઈ ગયો; અને હવે છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેનાં હાડકાં ભાંગી નાખ્યા છે.
18. તેથી સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, જેમ મેં આશૂરના રાજાને શાસન આપ્યું, તેમ બાબિલના રાજાને તથા તેના દેશને હું શાસન આપીશ.
19. પછી ઇઝરાયલને હું તેના બીડમાં પાછો લાવીશ, ને તે કાર્મેલ તથા બાશાન પર ચઢશે, અને તેનો જીવ એફ્રાઈમ પર્વત પર તથા ગિલ્યાદમાં તૃપ્ત થશે.
20. યહોવા કહે છે કે, તે દિવસોમાં તથા તે સમયમાં લોકો ઇઝરાયલનો દોષ શોધશે પણ તે જડશે નહિ. અને યહૂદિયાનાં પાતકો શોધશે, પણ તે જડશે નહિ; કેમ કે જેઓને હું રહેવા દઈશ તેઓને હું ક્ષમા કરીશ.
21. મેરાથાઇમ દેશ પર, હા, તે દેશ પર, ને પેકોદના રહેવાસીઓ પર ચઢાઈ કર. તેઓની પાછળ પડીને તેમનો ઘાત કર, ને તેઓનું સત્યાનાશ વાળ. મેં તને જે સર્વ કરવાનું ફરમાવ્યું છે તે પ્રમાણે કર, એવું યહોવા કહે છે.
22. દેશમાં યુદ્ધનો રણનાદ તથા વિનાશનો પોકાર સંભળાય છે.
23. આખી પૃથ્વીનો હથોડો કેવો કપાઈ ગયો તથા ભાંગીતૂટી ગયો છે! રાજ્યોમાં બાબિલ કેવો ઉજ્જડ થયો છે!
24. હે બાબિલ, મેં તારે માટે છટકું માંડયું છે; તું સપડાયો છે, ને તું તે જાણતો હતો! તું હાથ આવ્યો, ને તું પકડાયો પણ છે. કેમ કે તેં યહોવાની સાથે બાથ ભીડી છે.
25. યહોવાએ પોતાનો શસ્ત્રભંડાર ઉઘાડીને પોતાના કોપનાં હથિયાર કાઢયાં છે; કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાને ખાલદીઓના દેશમાં કામ કરવાનું છે.
26. છેક છેડેથી તેના પર ચઢી આવો, તેના કોઠારોને ઉઘાડી; તેના ઢગલા કરી નાખો, ને તેનો નાશ કરો; તેમાંથી કંઈ પણ બાકી રહેવા દો.
27. તેના સર્વ બળદોને મારી નાખો. તેઓને કતલ થવા માટે નીચે ઊતરી જવા દો! તેઓને અફસોસ! તેઓનો દિવસ, તેઓના શાસનનો સમય, આવ્યો છે.
28. આપણા ઈશ્વર યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સ્વર સંભળાય છે.
29. બાબિલની સામે તીરંદાજોને, જેટલા ધનુષ્ય ખેંચી શકે તે તમામને બોલાવો. તેની આસપાસ ઘેરો નાખો. તેમાંનો કોઈ પણ બચી જાય નહિ; તેની કરણી પ્રમાણે તેને પ્રતિફળ આપો. જે સર્વ તેણે બીજાઓને કર્યું છે, તે પ્રમાણે તેને કરો; કેમ કે યહોવાની આગળ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર ની આગળ, તે ઉદ્ધત થયો છે.
30. તેથી તેના જુવાનો તેના મહોલ્લાઓમાં પડશે, ને તેના સર્વ લડવૈયા તે દિવસે નાશ પામશે, એવું યહોવા કહે છે.
31. સૈન્યોના પ્રભુ યહોવા કહે છે, “અરે ઉદ્ધત, જો, હું તારી વિરુદ્ધ છું; કેમ કે તને શિક્ષા કરવાનો સમય, નિર્માણ થયેલો દિવસ આવ્યો છે.
32. ઉદ્ધત ઠોકર ખાઈને પડશે, કોઈ તેને ઉઠાવશે નહિ. હું તનાં નગરોમાં આગ લગાડીશ, તે તેની ચોતરફનું બધું બાળીને ભસ્મ કરશે.
33. સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે, ઇઝરાયલ તથા યહૂદિયાના લોકો બન્ને પર જુલમ ગુજારવામાં આવે છે! જેઓ તેમને બંદીવાસમાં લઈ ગયા તેઓ તેમને પકડી રાખે છે. તેઓ તેમને છોડી મૂકવા ના કહે છે.
34. તેઓનો ઉદ્ધારનાર બળવાન છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે. પૃથ્વી પર શાંતિ ફેલાવવાને, ને બાબિલના રહેવાસીઓને કંપાવવાને તે નિશ્ચય તેઓનો પક્ષ લેશે.
35. યહોવા કહે છે, ખાલદીઓ પર, બાબિલના રહેવાસીઓ પર, તેના સરદારો પર તથા તેના જ્ઞાનીઓ પર તરવાર આવી પડી છે.
36. લવરી કરનારાઓ પર તરવાર આવી પડી છે, તેઓ ઘેલા બની જશે; તેના શૂરવીરો પર તરવાર આવી છે, ને તેઓ ભયભીત થશે.
37. તેના ઘોડાઓ પર, તેના રથો પર તથા તેઓમાંના મિશ્ર લોકો પર તરવાર આવી છે, તેઓ સ્ત્રીઓના જેવા થશે; તેના ખજાનાઓ પર તરવાર આવી છે, ને તેઓને લૂંટી લેવામાં આવશે.
38. તેનાં જળાશયો પર સૂકવણું આવ્યું છે, તેઓ સુકાઈ જશે; કેમ કે તે કોતરેલી મૂર્તિઓનો દેશ છે, ને તેઓ પોતાનાં પૂતળાં ઉપર મોહિત થયા છે.
39. તેથી ત્યાં જંગલી પશુઓ તથા વરુઓ વસશે, ને તેમાં શાહમૃગો રહેશે; તે સદા નિર્જન રહેશે; અને ત્યાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ.
40. યહોવા કહે છે, ઈશ્વરે સદોમ, ગમોરા તથા તેઓની પાસેનાં નગરોની પાયમાલી કરી ત્યારે જેવું થયું તેવું ત્યાં થશે. એટલે ત્યાં કોઈ માણસ વસશે નહિ, અને તેમાં કોઈ પણ માણસ મુકામ કરશે નહિ.
41. જુઓ, ઉત્તર દિશાથી લોકો આવે છે, ને પૃથ્વીને છેડેથી એક મહાન પ્રજા તથા ઘણા રાજાઓ ચઢી આવશે.
42. તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરનારા છે. તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી. તેઓ સમુદ્રની જેમ ગર્જના કરે છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; જેમ શૂરવીર લડાઈને માટે તૈયારી કરે છે તેમ, રે બાબિલની દીકરી, તેઓ તારી વિરુદ્ધ સજ્જડ થયેલા છે.
43. બાબિલના રાજાએ તેઓના સમાચાર સાંભળ્યા છે, ને તેના હાથ હેઠા પડયા છે; તેને પીડા થાય છે, તથા પ્રસૂતાના જેવી વેદના થાય છે.
44. જુઓ, સિંહ યર્દનના પૂરમાંથી ચઢી આવે, તેમ તે કાયમના રહેઠાણ પર ચઢી આવશે. પણ હું તેમને ઓચિંતા તેની પાસેથી નસાડીશ; અને જે પસંદ થયેલો છે તેને હું તેના પર ઠરાવીશ; કેમ કે મારા જોવો કોણ છે? અને મારે માટે મુદત કોણ ઠરાવે? અને મારી સામે ઊભો રહે એવો ઘેટાંપાળક કોણ છે?
45. તે માટે યહોવાનો જે સંકલ્પ તેણે બાબિલની વિરુદ્ધ કર્યો છે, ને તેમણે જે ઇરાદા ખાલદીઓના દેશથી વિરુદ્ધ કર્યા છે, તે સાંભળો; ટોળાંમાનાં જે સહુથી નાનાં તેઓને તેઓ પણ નક્કી ઘસડી લઈ જશે. તે તેઓની સાથે તેઓનું રહેઠાણ ખચીત ઉજ્જડ કરી નાખશે.
46. બાબિલના પડવાના ધબકારાથી પૃથ્વી કંપે છે, ને તેનો અવાજ દૂરના દેશો સુધી સંભળાય છે.”
Total 52 Chapters, Current Chapter 50 of Total Chapters 52
×

Alert

×

gujarati Letters Keypad References