1. દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ નીચે પ્રમાણે પાડવામાં આવી હતી. કોરાહીઓમાં:આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમ્યા.
|
4. ઓબેદ-અદોમના પુત્રોમાં તેનો જ્યેષ્ઠ પુત્ર શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો યોઆ, ચોથો શાખાર, પાંચમો નથાનિયેલ;
|
6. તેના પુત્ર શમાયાને પણ પુત્રો થયા હતા, જેઓ પોતાના પિતાના કુટુંબના અધિકારીઓ હતા; કેમ કે તેઓ શૂરવીર હતા.
|
8. તેઓ સર્વ ઓબેદ-અદોમનના પુત્રો હતા. તેઓ, તોઓના પુત્રો તથા તેઓના ભાઈઓ સર્વ સેવાને માટે બળવાન તથા શક્તિમાન પુરુષો હતા; એ પ્રમાણે ઓબેદ-અદોમના બાસઠ વંશજો હતા.
|
10. વળી મરારીના પુત્રોમાંના હોસાને પણ પુત્રો થયા હતા; તેમાં મુખ્ય શિમ્રી (જો કે તે જ્યેષ્ઠ ન હતો, તો પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો;)
|
12. એ મુખ્ય માણસોમાંથી દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ પાડી હતી, તેઓને તેઓના ભાઈઓની માફક યહોવાના મંદિરમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
|
14. પૂર્વ તરફની ચિઠ્ઠી શેલેમ્યાની નીકળી. ત્યાર પછી તેનો પુત્ર ઝખાર્યા કે જે બુદ્ધિમાન મંત્રી હતો તેને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી.અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફથી નીકળી.
|
16. શુપ્પીમ તથા હોસાની પશ્ચિમ તરફની એટલે ચઢતા ઢોળાવની સડક ઉપર, શાલ્લેખેથ દરવાજા પાસેની જગાની એટલે સામસામી બીજી ચોકીની નીકળી.
|
17. પૂર્વ તરફ દરરોજ છ લેવીઓ હાજર રહેતા હતા, ઉત્તર તરફ ચાર, દક્ષિણ તરફ ચાર, ને ભંડાર ના દરેક દરવાજાને માટે બબ્બે.
|
25. તેના ભાઈઓ:એલિએઝેરથી તેનો પુત્ર રહાબ્યા થયો, તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર યોરામ, તેનો પુત્ર ઝિખ્રી તથા તેનો પુત્ર શલોમોથ.
|
26. આ શલોમોથ તથા તેના ભાઈઓ, પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તથા તેઓના પિતૃઓનાં કુટુંબોના મુખ્ય પુરુષોએ, સહસ્રાધિપતિઓએ, શતાધિતપતિઓએ તથા સૈન્યના સરદારોએ અર્પણ કર્યા હતાં, તેઓના ઉપર હતા.
|
28. જે બધું શમુએલ દષ્ટાએ, કીશના પુત્ર શાઉલે, નેરનો પુત્ર આબ્નેરે તથા સરુયાના પુત્ર યોઆબે અર્પણ કર્યું હતું, તથા જે કંઈ બીજા કોઈએ અર્પણ કર્યું હતું તે સર્વ શલોમોથ તથા તેના ભાઈઓના હવાલામાં હતું.
|
30. હેબ્રોનીઓમાંનો હશાબ્યા તથા તેના ભાઈઓ એક હજાર સાતસો શુરવીર પુરુષો હતા, તેઓ યહોવાના સર્વ કામને માટે તથા રાજાની સેવાને માટે યર્દન પાર પશ્ચિમ તરફના ઇઝરાયલના અધિકારીઓ હતા.
|
31. હેબ્રોનીઓના પિતૃઓનાં કુટુંબોની વંશાવળી પ્રમાણે તેઓમાંનો મુખય યરિયા હતો. દાઉદની કારકિર્દીના ચાળીસમા વર્ષમાં તેઓની ચૂંટણી થઈ, ને તેઓમાંના કેટલાક શૂરવીર પુરુષો ગિલ્યાદના આઝેરમાં મળી આવ્યા.
|
32. તેના ભાઈઓમાં શૂરવીર પુરુષો તથા તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો બે હજાર સાતસો હતા. તેમને દાઉદ રાજાએ ઈશ્વર સંબંધીની પ્રત્યેક બાબતને માટે તથા રાજાના કામને માટે રુબેનીઓ, ગાદીઓ તથા મનાશ્શાના અર્ધકુળ પર દેખરેખ રાખનારા ઠરાવ્યા.
|