1. હવે પલિસ્તીઓએ ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું. ઇઝરાયલના માણસો પલિસ્તીઓની આગળ નાઠા, ને ગિલ્બોઆ પર્વત પર કતલ થઈ પડ્યા.
|
2. પલિસ્તીઓએ શાઉલ તથા તેના દિકરાઓનો લગોલગ પીછો પકડ્યો; અને પલિસ્તીઓએ શાઉલના દિકરા યોનાથાન, અબિનાદાબ તથા માલ્કીશૂઆને મારી નાખ્યા.
|
3. અને શાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું, ને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો. અને ધનુર્ધારીને લીધે તે ઘણી સંકડામણમાં આવી પડ્યો.
|
4. ત્યારે શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તરવાર તાણીને મને વીંધી નાખ, રખેને આ બેસુન્નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરે.” પણ તેના શસ્ત્રવાહકે એમ કરવાની ના પાડી. કેમ કે તે ઘણો બીધો, ત્યારે શાઉલે પોતાની તરવાર લઈને તે પર પડ્યો.
|
7. અને તે નીચાણની સામી બાજુના ઇઝરાયલી માણસોએ તથા યર્દનની પેલી પારના લોકોએ જોયું કે, ઇઝરાયલના માણસો નાસે છે, ત્યારે તેઓ નગરો તજી દઈને નાસી ગયા; અને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા.
|
8. બીજે દિવસે એમ બન્યું કે પલિસ્તીઓ લાસો પરથી વસ્ત્રાદિ ઉતારી લેવા આવ્યા, ત્યારે શાઉલ તથા તેના ત્રણ દિકરાને તેઓએ ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા.
|
9. તેઓએ તેનું માથું કાપી લીધું, તથા તેનાં શસ્ત્રો ઉતારી લઈને તે સમાચાર તેમના મૂર્તિગૃહમાં તથા લોકોમાં પ્રગટ કરવા માટે પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ હલકારા મોકલ્યા.
|
12. ત્યારે બધા બહાદુર પુરુષો ઊઠીને આખી રાત ચાલ્યા, ને બેથ-શાનના કોટ પરથી શાઉલની લાસ તથા તેના દિકરાઓની લાસો તેઓ યાબેશમાં લઈ આવ્યા, ને ત્યાં તેઓએ તે બાળી.
|