2. માટે તેના ચાકરોએ તેને કહ્યું, “મારા મુરબ્બી રાજાને માટે એક જુવાન કુમારિકા શોધી કાઢીએ. તે રાજાની હજૂરમાં ઊભી રહીને તેમની સારવાર કરે; અને તે તમારી સોડમાં સૂએ કે, જેથી મારા મુરબ્બી રાજાનાં અંગમાં ગરમી આવે.”
|
3. તેથી સુંદર કન્યા માટે તેઓએ ઇઝરાયલની સર્વ સીમામાં શોધ કરી, તો શૂનામ્મી અબીશાગ નામે એક કુમારિકા મળી, ને તેને તેઓ રાજા પાસે લાવ્યા.
|
4. તે કુમારિકા ઘણી સુંદર હતી. તેણે રાજાની સારવાર કરીને તેમની સેવાચાકરી કરી; પણ રાજાએ તેનો સંસર્ગ કર્યો નહિ.
|
5. એવામાં હાગ્ગીથના દીકરા અદોનિયાએ ગર્વિષ્ઠ થઈને કહ્યું, “ હું રાજા થઈશ.” અને તેણે પોતાને માટે રથો, સવારો તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો ઊભા કર્યા.
|
6. અને “તેં એમ કેમ કર્યું, ” એવું કહીને તેના પિતાએ તેને કોઈ વખત નારાજ કર્યો નહતો. વળી તે ઘણો સુંદર હતો; અને અબ્શાલોમની પછી તે જનમ્યો હતો.
|
7. સરુયાના દીકરા યોઆબ તથા અબ્યાથાર યાજક સાથે તેણે મસલત કરી.તેઓએ અદોનિયાની તહેનાતમાં રહીને તેને સહાય કરી.
|
8. પણ સાદોક યાજક, યહોયાદાનો દીકરો બનાયા, નાથાન પ્રબોધક, શિમઈ, રેઈ, તથા દાઉદના યોદ્ધાઓ અદોનિયાની મદદે ગયા નહિ.
|
9. અદોનિયાએ એન-રોગેલ પાસેના ઝોહેલેથના પથ્થરની બાજુએ ઘેટાં, બળદો તથા પુષ્ટ પશુઓનો વધ કર્યો. અને તેણે પોતાના સર્વ ભાઈઓને એટલે રાજાના દીકરાઓને, તથા રાજાના સેવકોને એટલે યહૂદિયાના સર્વ માણસોને, નોતર્યા.
|
11. ત્યારે નાથાને સુલેમાનની મા બાથ-શેબાને કહ્યું, “ શું તમે નથી સાંભળ્યું, કે હાગ્ગીથનો દીકરો અદોનિયા રાજા થઈ બેઠો છે, ને આપણા મુરબ્બી દાઉદ તો એ જાણતા નથી?
|
12. તો હવે કૃપા કરીને અહીં આવો, હું તમને એવી સલાહ આપું કે, તમે તમારો પોતાનો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ ઉગારો.
|
13. તમે દાઉદ રાજા પાસે જઈને તેમને કહો કે, હે મારા સ્વામી રાજા, તમે શું આ તમારી દાસી આગળ એવા સમ નથી ખાધા કે, ‘તારો દીકરો સુલેમાન નક્કી મારા પછી રાજા થશે, ને તે મારા રજ્યાસન પર બેસશે?’ ત્યારે અદોનિયા કેમ રાજા થઈ બેઠો છે?
|
14. જુઓ, હજી તો તમે રાજા સાથે વાત કરતાં હશો, એટલામાં હું પણ તમારી પાછળ આવીને તમારી વાતને ટેકો આપીશ.”
|
15. પછી બાથ-શેબા શયનગૃહમાં રાજા પાસે ગઈ. રાજા ઘણો વૃદ્ધ થયો હતો; શૂનામ્મી અબીશાગ રાજાની સેવા કરતી હતી.
|
17. બાથ-શેબાએ તેને કહ્યું, “મારા સ્વામી, તમે તમારી દાસી આગળ તમારા ઈશ્વર યહોવાના સમ ખાધા હતા કે, ‘તારો દીકરો સુલેમાન નક્કી મારા પછી રાજા થશે, ને તે મારા રાજ્યાસન પર બેસશે.’
|
19. વળી તેણે પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ તથા ઘેટાનું બલિદાન આપ્યું છે, અને રાજાના સર્વ દીકરાઓને, અબ્યાથાર યાજકને તથા સેનાધિપતિ યોઆબને નોતર્યા છે; પણ તારા દાસ સુલેમાનને તેણે નોતર્યો નથી.
|
20. હવે મારા મુરબ્બી રાજા, સર્વ ઇઝરાયલની નજર તમારા પર છે કે, મારા મુરબ્બી રાજાની પછી તમારા રાજ્યાસન પર કોણ બેસશે તે તમે તેઓને જાહેર કરો.
|
21. નહિ તો મારા મુરબ્બી રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમાન અપરાધી ગણાઈશું.”
|
23. ચાકરોએ રાજાને ખબર આપી કે નાથાન પ્રબોધક આવ્યા છે. તે રાજાની હજૂરમાં આવ્યો ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
|
24. અને નાથાને કહ્યું, “હે મારા મુરબ્બી રાજા શું તમે એમ કહ્યું છે કે, મારા પછી અદોનિયા રાજા થશે, ને તે મારા રાજ્યાસન પર બેસશે?’
|
25. કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ તથા ઘેટાંનું બલિદાન આપ્યું છે, ને રાજાના સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને નોતર્યા છે. અને જુઓ, તેઓ તેની આગળ ખાયપીએ છે, અને, ‘ઈશ્વર અદોનિયા રાજાની રક્ષા કરો, ’ એમ પોકારે છે.
|
26. પણ મને, હા, મને આ તમારા સેવકને, સાદોક યાજકને, યહોયાદાના દીકરા બનાયાને તથા તમારા દાસ સુલેમાનને તેણે નોતર્યા નથી.
|
27. શું એ કામ મારા મુરબ્બી રાજાએ કર્યુંછે? જો એમ હોય તો મારા મુરબ્બી રાજાની પછી તેના રાજ્યાસન પર કોણ બેસશે એ તમે આ તમારા દાસને તો જણાવ્યું નથી.”
|
28. ત્યારે દાઉદ રાજાએ ઉત્તર આપ્યો, “બાથ-શેબાને મારી પાસે બોલાવો.” એટલે તે રાજાની હજૂરમાં આવીને તેની સંમુખ ઊભી રહી.
|
30. જેમ મેં તારી આગળ ઇઝરાયલના ઈશ્વર યહોવાના સમ ખાધા છે કે, ‘મારા પછી તારો દીકરો સુલેમાન નક્કી રાજા થશે, ને તે મારી જગાએ રાજ્યાસન પર બેસશે, ’ તે જ પ્રમાણે હું આજે નક્કી કરીશ.”
|
31. ત્યારે બાથ-શેબાએ રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને કહ્યું, “મારા મુરબ્બી દાઉદ રાજા સદા જીવતા રહો.”
|
32. પછી દાઉદ રાજાએ કહ્યું, “સાદોક યાજકને, નાથાન પ્રબોધકને તથા યહોયાદાના દીકરા બનાયાને મારી પાસે બોલાવો.” અને તેઓ રાજાની હજૂરમાં લાવ્યા.
|
33. રાજાએ તેઓને કહ્યું, ” તમે તમારા ધણીના સેવકોને તમારી સાથે લઇને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ.
|
34. ત્યાં સદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કરે અને તમે રણશિંગડું વગાડીને કહેજો, ‘ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો.’
|
35. પછી તમે તેની પાછળ આવજો, ને તે આવીને મારા રાજ્યાસન પર બેસશે; કેમ કે તે મારી જગાએ રાજા થશે. મેં તેને ઇઝરાયલ પર તથા યહૂદિયા પર અધિકારી ઠરાવ્યો છે.”
|
36. અને યહોયાદાના દીકરા બનાયાએ રાજાને ઉત્તર આપ્યો, “આમીન; મારા મુરબ્બી રાજાના ઈશ્વર યહોવા પણ એવું જ કહો.
|
37. જેમ યહોવા મારા મુરબ્બી રાજાની સાથે રહેતા આવ્યા છે, તેમ જ તે સુલેમાનની સાથે પણ રહો, ને મારા મુરબ્બી દાઉદ રાજાના રાજ્યાસન કરતાં તેમનું રાજ્યાસન મોટું કરો.”
|
38. એમ સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા, તથા કરેથીઓ ને પલેથીઓ, તેઓ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા.
|
39. પછી સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. તેઓએ રણશિંગડું વગાડ્યું; અને સર્વ લોકોએ પોકાર્યું, “ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો.”
|
40. અને સર્વ લોક તેની પાછળચાલતા હતા, ને લોકો વાંસળીઓ વગાડતા હતા. ને તેઓએ ઉમંગથી એવો હર્ષનાદ કર્યો કે તેઓના પોકારથી ધરતી ફાટી.
|
41. અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો જમી રહ્યા, તે સમયે તેઓએ તે સાંભળ્યું. યોઆબે રણશિંગડાનો અવાજ સાંભળીને કહ્યું, “નગરમાં શોરબકોર થયાનો ઘોંઘાટ શા માટે થાય છે?”
|
42. હજી તો તે બોલતો હતો, એટલામાં જૂઓ, અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ તેને કહ્યું, “અંદર આવ; કેમ કે તું સારો માણસ છે, ને સારા સમાચાર લાવ્યો છે.”
|
44. અને રાજાએ તેની સાથે સાદોક યાજકને, નાથાન પ્રબોધકને, યહોયાદાના દીકરા બનાયાને, તથા કરેથીઓ ને પલેથીઓને મોકલ્યા છે, ને તેઓએ તેને રાજાના ખચ્ચર પર સવારી કરાવી છે.
|
45. અને સાદોક યાજકે તથા નાથાન પ્રબોધકે તેને ગિહોનમાં રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. તેઓ ત્યાંથી એવી રીતે ઉત્સવ કરતા પાછા આવ્યા છે કે નગર ગાજી રહ્યું છે. તમે જે શોરબકોર સાંભળ્યો છે તે એ જ છે.
|
47. વળી રાજાના સેવકોએ આપણા મુરબ્બી દાઉદ રાજાને આશિષ આપવા માટે અંદર આવીને કહ્યું, ’તમારા ઈશ્વર તમારા નામ કરતાં સુલેમાનનું નામ શ્રેષ્ઠ કરો, ને તમારા રાજ્યાસન કરતાં તેમનું રાજ્યાસન મોટું કરો.’ અને રાજાએ પલંગ પર બેઠા બેઠા પ્રણામ કર્યા.
|
48. વળી રાજાએ એમ કહ્યું, “ઇઝરાયલના ઇશ્વર યહોવા જેમણે આજે મારા જોતાં મારા રજ્યાસન પર બેસનાર માણસ મને આપ્યો છે, તેમને ધન્ય હોજો!’”
|
51. સુલેમાનને ખબર મળી કે, ‘જો, અદોનિયા સુલેમાન રાજાથી બીહે છે; કેમ કે જો, તે વેદીના શિંગ પકડીને કહે છે કે, સુલેમાન રાજા આજે મારી આગળ સમ ખાય કે તે તરવારથી પોતાના દાસનો સંહાર નહિ કરે.’
|
52. સુલેમાને કહ્યું, “જો તે લાયક વર્તણૂક બતાવશે, તો તેનો એક વાળ પણ ભૂમિ પર પડશે નહિ; પણ જો તેનામાં દુષ્ટતા માલૂમ પડશે, તો તે માર્યો જશે.”
|
53. એમ કહીને સુલેમાન રાજાએ માણસ મોકલ્યા, ને તેઓ તેને વેદી પાસેથી ઉતારી લાવ્યા. તેણે આવીને સુલેમાન રાજાને નમસ્કાર કર્યા. અને સુલેમાને તેને કહ્યું, “તું તારે ઘેર જા.”
|