2. તમે વિદેશી હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ તમે એ મૂંગી મૂર્તિઓ પાછળ દોરવાઈ જતા હતા, એ તમે જાણો છો.
|
3. માટે હું તમને સમજાવું છું કે, ઈશ્વરના આત્મા ની પ્રેરણા થી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી. અને, ઈસુ પ્રભુ છે, એમ કોઈ માણસ પવિત્ર આત્મા ની પ્રેરણા વગર કહી શકતો નથી.
|
10. કોઈને ચમત્કાર કરવાનું દાન; કોઈને પ્રબોધ; કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું; કોઈને ભિન્ન ભિન્ન ભાષાઓ; અને કોઈને ભાષાંતર કરવાનું દાન આપવામાં આવેલું છે.
|
12. કેમ કે જેમ શરીર એક છે, અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે; તેમ ખ્રિસ્ત પણ છે.
|
13. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા; અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે.
|
21. આંખથી હાથને કહેવાતું નથી, “મને તારી અગત્ય નથી.” તેમ જ માથાથી પગોને પણ કહેવાતું નથી, “મને તમારી અગત્ય નથી.”
|
23. અને શરીરના જે ભાગ ને આપણે ઓછા માનયોગ્ય ગણીએ છીએ તેઓને આપણે વધારે માન આપીએ છીએ! એમ આપણા કદરૂપા અવયવોને વધારે શોભાયમાન કરવામાં આવે છે.
|
24. પણ આપણા સુંદર અવયવો ને એવી વાતની અગત્ય નથી. પણ જે ભાગ ને ઓછું માન હતું તેને ઈશ્વરે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે.
|
26. જો એક અવયવ દુ:ખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે; તેમ જ જો એક અવયવને માન મળે, તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.
|
28. ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજાં કરવાનાં કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, ભિન્ન ભિન્ન ભાષાઓને.
|
30. શું બધા ચમત્કાર કરનારા છે? શું બધાને સાજાં કરવાનાં કૃપાદાન છે? શું બધા ભિન્ન ભિન્ન ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?
|
31. તો જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઝંખના રાખો. વળી એ સર્વ કરતાં ઉત્તમ માર્ગ હું તમને બતાવું છું.
|