1. યહોવાહની સ્તુતિ કરવી [QBR] અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે. [QBR]
2. સવારે તમારી કૃપા [QBR] અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો. [QBR]
3. દશ તારવાળાં વાજાં સાથે [QBR] અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો. [QBR]
4. કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. [QBR] તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ. [QBR]
5. હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! [QBR] તમારા વિચારો બહુ ગહન છે. [QBR]
6. અજ્ઞાની માણસ તે જાણતો નથી, [QBR] મૂર્ખ પણ તે સમજી શકતો નથી. [QBR]
7. જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે [QBR] અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, [QBR] ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે. [QBR]
8. પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો. [QBR]
9. તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; [QBR] સર્વ દુષ્ટો વિખેરાઈ જશે. [QBR]
10. તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; [QBR] તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે. [QBR]
11. મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; [QBR] મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે. [QBR]
12. ન્યાયી માણસ તાડના વૃક્ષની જેમ ખીલશે; [QBR] તે લબાનોનના દેવદારની જેમ વધશે. [QBR]
13. જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; [QBR] તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે. [QBR]
14. વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; [QBR] તેઓ તાજા અને લીલા રહેશે. [QBR]
15. જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. [QBR] તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી. [PE]