1. પરાત્પરના આશ્રયસ્થાનમાં જે વસે છે, [QBR] તે સર્વસમર્થની છાયામાં રહેશે. [QBR]
2. હું યહોવાહ વિષે કહીશ કે, “તે મારા આશ્રય અને ગઢ છે, [QBR] એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.” [QBR]
3. કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી [QBR] અને નાશકારક મરકીથી બચાવશે. [QBR]
4. તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે [QBR] અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. [QBR] તેમની સત્યતા ઢાલ તથા બખતર છે. [QBR]
5. રાત્રે જે ભય લાગે છે તેથી [QBR] અથવા તો દિવસે ઊડનાર તીરથી, [QBR]
6. અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, [QBR] બપોરે મહામારીથી તું બીશ નહિ. [QBR]
7. તારી બાજુએ હજાર [QBR] અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, [QBR] પણ તે તારી પાસે આવશે નહિ. [QBR]
8. તું માત્ર નજરે જોશે [QBR] અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે. [QBR]
9. કારણ કે યહોવાહ મારા આધાર છે! [QBR] તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે. [QBR]
10. તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ; [QBR] મરકી તારા ઘરની પાસે આવશે નહિ. [QBR]
11. કારણ કે તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે, [QBR] તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. [QBR]
12. તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે, [QBR] કે જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ. [QBR]
13. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; [QBR] સિંહનાં બચ્ચાંને તથા સાપને તું છૂંદી નાખશે. [QBR]
14. કારણ કે તે મને સમર્પિત છે, માટે હું તેને બચાવીશ. [QBR] તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ. [QBR]
15. જ્યારે તે મને પોકારશે, ત્યારે હું તેને ઉત્તર આપીશ. [QBR] હું સંકટસમયે તેની સાથે રહીશ; [QBR] હું તેને વિજય અપાવીને માન આપીશ. [QBR]
16. હું તેને લાંબા આયુષ્યથી વેષ્ટિત કરીશ [QBR] અને તેને મારા તરફથી મળતો ઉદ્ધાર દેખાડીશ. [PE]