2. મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે;
જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે. |
3. ચકલીઓને ઘર મળ્યું છે
અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ, મારા રાજા તથા મારા ઈશ્વર. |
7. તેઓ વધારે અને વધારે સામર્થ્યવાન થતાં જાય છે;
તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની સમક્ષ હાજર થાય છે. |
8. હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો;
હે યાકૂબના ઈશ્વર, હું જે પ્રાર્થના કરું, તે પર ધ્યાન આપો! સેલાહ |
10. કારણ કે હજાર દિવસ કરતાં તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે.
દુષ્ટોના તંબુમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના ઘરના દરવાન થવું, તે મને વધારે પસંદ છે. |
11. કારણ કે યહોવાહ ઈશ્વર આપણા સૂર્ય તથા ઢાલ છે;
યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ. |