1. હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો;
સંકટને સમયે તમે મને છોડાવજો. |
2. હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો?
તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? સેલાહ |
3. પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે.
હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે. |
7. લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે,
તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. |
8. હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ,
કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો. PE |