3. જેઓ મારી પાછળ લાગેલા છે તેઓની વિરુદ્ધ તમારા ભાલાનો ઉપયોગ કરો;
મારા આત્માને કહો, “હું તારો ઉદ્ધાર કરનાર છું.” |
7. તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે;
વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે. |
8. તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો.
પોતાના ફાંદામાં તેઓ પોતે જ ફસાઈ પડો. પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ. |
10. મારા સઘળા બળથી હું કહીશ કે, “હે યહોવાહ, તમારા જેવું કોણ છે?
જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.” |
13. પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો;
હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી. |
14. તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેઓની સાથે રાખ્યો;
પોતાની માતાને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો. |
15. પણ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા;
હું તે જાણતો નહિ, એવી રીતે તેઓ મારી વિરુદ્ધ ટોળે વળતા. |
17. હે પ્રભુ, ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો?
તેઓના સંહારથી મારા જીવને તથા સિંહોથી મારા આત્માને બચાવી લો. |
19. મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ;
જેઓ વિનાકારણ મારો દ્વ્રેષ કરે છે તેઓ આંખના મિચકાર ન મારો. |
25. તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, “આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે.”
તેઓને એમ કહેવા ન દો કે, “અમે તેને ગળી ગયા છીએ.” |
26. મારા નુકસાનમાં આનંદ પામનારા સર્વ બદનામ થાઓ અને ઝંખવાણા પડો.
મારી વિરુદ્ધ બડાઈ કરનારાઓ અપમાનિત થઈને શરમાઈ જાઓ. |
27. જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો;
તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે, તે યહોવાહની સ્તુતિ થાઓ. |