4. તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે
અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે. તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે. |
5. સૂર્ય પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે
અને તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માને છે. |
6. તે આકાશને એક છેડેથી નીકળી આવે છે
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે; તેની ઉષ્ણતા પામ્યા વિના કોઈ બાકી રહી જતું નથી. |
7. યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે;
યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે. |
8. યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે;
યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે. |
13. જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો;
તેઓને મારા પર રાજ કરવા ન દો. એટલે હું સંપૂર્ણ થઈશ અને હું મહાપાપમાંથી બચી જઈશ. |
14. હે યહોવાહ, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર
મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ. PE |