3. જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે,
ત્યારે તમે મારા માર્ગો જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે. |
4. હું મારી જમણી બાજુએ જોઉં છું,
તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. મારું નાસવું નિષ્ફળ ગયું છે; મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી. |
5. હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું,
“તમે જ મારો આશ્રય છો, મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો. |
6. મારો પોકાર સાંભળો,
કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે. |
7. મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો,
કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો. PE |