1. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, [QBR] જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, [QBR] અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે. [QBR]
2. યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે [QBR] અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે. [QBR]
3. તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, [QBR] જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, [QBR] જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, [QBR] તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. [QBR]
4. દુષ્ટો એવા નથી, [QBR] પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે. [QBR]
5. તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ [QBR] અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. [QBR]
6. કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, [QBR] પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. [PE]