1. કોઈ માણસ પાછળ પડ્યું ન હોય તો પણ દુષ્ટ વ્યક્તિ નાસી જાય છે, [QBR] પણ નેકીવાનો સિંહના જેવા નીડર હોય છે. [QBR]
2. દેશના અપરાધને લીધે તેના પર ઘણા હાકેમો થાય છે; [QBR] પણ બુદ્ધિમાન તથા જ્ઞાની માણસોથી તે ટકી રહે છે. [QBR]
3. જે માણસ પોતે નિર્ધન હોવા છતાં ગરીબ માણસો પર જુલમ ગુજારે છે [QBR] તે અનાજનો તદ્દન નાશ કરનાર વરસાદની હેલી જેવો છે. [QBR]
4. જેઓ નિયમ પાળતા નથી, તેઓ દુર્જનને વખાણે છે, [QBR] પણ જેઓ નિયમનું પાલન કરે છે તેઓની સામે વિરોધ કરે છે. [QBR]
5. દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી, [QBR] પણ જેઓ યહોવાહને શોધે છે તેઓ આ સઘળી બાબતો સમજે છે. [QBR]
6. જે માણસો પોતે ધનવાન હોવા છતાં અવળે માર્ગે ચાલે છે, [QBR] તેના કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે. [QBR]
7. જે દીકરો નિયમને અનુસરે છે તે ડાહ્યો છે, [QBR] પણ નકામા લોકોની સોબત રાખનાર દીકરો પોતાના પિતાના નામને બટ્ટો લગાડે છે. [QBR]
8. જે કોઈ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિની વૃદ્ધિ કરે છે [QBR] તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે. [QBR]
9. જે માણસ નીતિનિયમ પાળતો નથી અને પોતાના કાન અવળા ફેરવી નાખે છે, [QBR] તેની પ્રાર્થના પણ કંટાળાજનક છે. [QBR]
10. જે કોઈ પ્રામાણિકને કુમાર્ગે ભટકાવી દે છે, [QBR] તે પોતે પોતાના જ ખાડામાં પડે છે, [QBR] પણ નિર્દોષ માણસનું ભલું થાય છે અને તેને વારસો મળશે. [QBR]
11. ધનવાન પોતાને પોતાની નજરમાં ડાહ્યો માને છે, [QBR] પણ શાણો ગરીબ તેની પાસેથી સત્ય સમજી લે છે. [QBR]
12. જ્યારે ન્યાયી વિજયી થાય છે, ત્યારે આનંદોત્સવ થાય છે, [QBR] પણ જ્યારે દુર્જનોની ચઢતી થાય છે, ત્યારે લોકો સંતાઈ જાય છે. [QBR]
13. જે માણસ પોતાના અપરાધોને છુપાવે છે, તેની આબાદી થશે નહિ, [QBR] પણ જે કોઈ તેઓને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે. [QBR]
14. જે હંમેશા સાવધ રહે છે તે સુખી છે, [QBR] પણ જે માણસ પોતાનું હૃદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે. [QBR]
15. ગરીબ લોકોને માથે દુષ્ટ અધિકારી હોય [QBR] તો તે ગર્જતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે. [QBR]
16. સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, [QBR] પણ જે લોભને તિરસ્કારે છે તે લાંબો સમય રાજ્ય કરશે. [QBR]
17. જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, [QBR] તે નાસીને ખાડામાં પડશે, [QBR] કોઈએ તેને મદદ કરવી નહિ. [QBR]
18. જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે, [QBR] પણ જે પોતાના માર્ગોથી ફંટાય છે તેની અચાનક પડતી થશે. [QBR]
19. જે માણસ પોતાની જમીન ખેડે છે, તેને પુષ્કળ અનાજ મળશે, [QBR] પણ જેઓ નકામી વસ્તુઓની પાછળ દોડે છે તેઓ ખૂબ ગરીબ રહેશે. [QBR]
20. વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે, [QBR] પણ જે માણસ ધનવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ. [QBR]
21. પક્ષપાત કરવો એ યોગ્ય નથી, [QBR] તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ સારું નથી. [QBR]
22. લોભી વ્યક્તિ પૈસાદાર થવા માટે દોડે છે, [QBR] પણ તેને ખબર નથી કે તેના પર દરિદ્રતા આવી પડશે. [QBR]
23. જે માણસ પ્રશંસા કરે છે તેના કરતાં [QBR] જે માણસ ઠપકો આપે છે તેને વધારે પ્રશંસા પ્રાપ્ત થશે. [QBR]
24. જે પોતાના માતાપિતાને લૂંટે છે અને કહે કે, “એ પાપ નથી,” [QBR] તે નાશ કરનારનો સોબતી છે. [QBR]
25. જે વ્યક્તિ લોભી મનની હોય છે, તે ઝઘડા ઊભા કરે છે, [QBR] પણ જે યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સફળ થશે. [QBR]
26. જે માણસ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે તે મૂર્ખ છે, [QBR] પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે. [QBR]
27. જે માણસ ગરીબને ધન આપે છે, તેના ઘરમાંથી ધન ખૂટવાનું નથી, [QBR] પણ જે માણસ ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરે છે તે શાપિત થશે. [QBR]
28. જ્યારે દુષ્ટોની ઉન્નતિ થાય છે, ત્યારે માણસો સંતાઈ જાય છે, [QBR] પણ જ્યારે તેઓની પડતી આવે છે, ત્યારે સજ્જનોની વૃદ્ધિ થાય છે. [PE]