1. પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; [QBR] તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે. [QBR]
2. માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો દેખાય છે, [QBR] પણ યહોવાહ તેના હૃદયની તુલના કરે છે. [QBR]
3. ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં [QBR] તે યહોવાહને યજ્ઞ કરતાં પણ વધારે પસંદ છે. [QBR]
4. અભિમાની આંખો તથા ગર્વિષ્ઠ હૃદય [QBR] તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે. [QBR]
5. ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, [QBR] પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન બને છે. [QBR]
6. જૂઠી જીભથી ઘન સંપાદન કરવું તે આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે, [QBR] એવું કરનાર મોત માગે છે. [QBR]
7. દુષ્ટ લોકોનો અત્યાચાર તેઓને પોતાને જ ઘસડી જાય છે, [QBR] કારણ કે, તેઓ ન્યાય કરવાની ના પાડે છે. [QBR]
8. અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે, [QBR] પણ સંતોનાં કાર્યો સીધા હોય છે. [QBR]
9. કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં [QBR] અગાશીના એક ખૂણામાં રહેવું વધારે સારું છે. [QBR]
10. દુષ્ટ વ્યક્તિ ખોટું ઇચ્છે છે; [QBR] તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી. [QBR]
11. જ્યારે ઘમંડી વ્યક્તિને શિક્ષા થાય છે, ત્યારે ભોળો સાવચેત બને છે; [QBR] અને જ્યારે ડાહ્યાને શિક્ષણ મળે છે, ત્યારે તે વિદ્વાન થાય છે. [QBR]
12. ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે, [QBR] પણ ઈશ્વર દુષ્ટોને ઊથલાવી પાડીને પાયમાલ કરે છે. [QBR]
13. જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, [QBR] તેઓ જ્યારે પોતે પોકારશે, ત્યારે તેઓનું સાંભળવામાં આવશે નહિ. [QBR]
14. છૂપી રીતે આપેલ ભેટથી ક્રોધ શમી જાય છે, [QBR] છુપાવેલી લાંચથી ભારે રોષ શમી જાય છે. [QBR]
15. નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે, [QBR] પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે. [QBR]
16. સમજણનો માર્ગ છોડીને ચાલનાર માણસ [QBR] મરણ પામેલાઓની સભામાં આવી પડશે. [QBR]
17. મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; [QBR] દ્રાક્ષારસ અને તેલનો રસિયો ધનવાન થશે નહિ. [QBR]
18. નેકીવાનોનો બદલો દુષ્ટ લોકોને [QBR] અને પ્રામાણિકોનો બદલો કપટીને ભરવો પડશે. [QBR]
19. કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં [QBR] ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે. [QBR]
20. જ્ઞાનીના ઘરમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, [QBR] પણ મૂર્ખ તેનો દૂર ઉપયોગ કરે છે. [QBR]
21. જે નેકી તથા દયાનું અનુકરણ કરે છે, [QBR] તેને જીવન, નેકી તથા સન્માન મળે છે. [QBR]
22. જ્ઞાની માણસ સમર્થ નગરના કોટ પર ચઢે છે [QBR] અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે. [QBR]
23. જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે [QBR] તે સંકટમાં પોતાના આત્માનું રક્ષણ કરે છે. [QBR]
24. જે માણસ ઘમંડી છે; તેનું નામ “તિરસ્કાર” કરનાર છે, [QBR] તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે. [QBR]
25. આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, [QBR] કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે. [QBR]
26. એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, [QBR] પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી. [QBR]
27. દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે, [QBR] તે બદઇરાદાથી યજ્ઞ કરે, તો તે કેટલો બધો કંટાળારૂપ થાય. [QBR]
28. જૂઠી સાક્ષી પૂરનાર નાશ પામશે, [QBR] પરંતુ જે માણસ ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે. [QBR]
29. દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે, [QBR] પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે. [QBR]
30. કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત [QBR] યહોવાહની આગળ ચાલી શકે નહિ. [QBR]
31. યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, [QBR] પણ વિજય તો યહોવાહ દ્વારા જ મળે છે. [PE]