1. અવળું બોલનારા મૂર્ખ શ્રીમંત કરતાં [QBR] પ્રામાણિકપણાથી વર્તનાર ગરીબ વ્યક્તિ સારી છે. [QBR]
2. વળી ડહાપણ વગરની આકાંક્ષા સારી નથી [QBR] અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે. [QBR]
3. વ્યક્તિ પોતાની મૂર્ખાઈથી પાયમાલ થાય છે [QBR] અને તેનું હૃદય યહોવાહ વિરુદ્ધ ચિડાય છે. [QBR]
4. સંપત્તિ ઘણા મિત્રો વધારે છે, [QBR] પણ ગરીબ વ્યક્તિના મિત્રો તેને છોડી જાય છે. [QBR]
5. જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ. [QBR] અને શ્વાસે શ્વાસે જૂઠું બોલનાર માણસ સજાથી બચી જશે નહિ. [QBR]
6. ઉદાર માણસની મહેરબાની માટે ઘણા માણસો ખુશામત કરે છે [QBR] અને દરેક માણસ દાતારનો મિત્ર થવા ચાહે છે. [QBR]
7. દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્કાર કરે છે, [QBR] તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે! [QBR] તે તેઓને બોલાવે છે, પણ તેઓ ચાલ્યા ગયા છે. [QBR]
8. જે ડહાપણ મેળવે છે તે પોતાના આત્માને જ ચાહે છે. [QBR] જે વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે. [QBR]
9. જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ, [QBR] પણ જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે. [QBR]
10. મૂર્ખને માટે મોજશોખ ભોગવવો શોભાસ્પદ નથી [QBR] ગુલામોને રાજકુમારો પર સત્તા ચલાવે તે કેટલું બધું અઘટિત છે. [QBR]
11. માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે [QBR] અને અપરાધની ક્ષમા આપવી એ તેનો મહિમા છે. [QBR]
12. રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે, [QBR] પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ જેવી છે. [QBR]
13. મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે; [QBR] અને કજિયાખોર પત્ની સતત ટપકતા પાણી જેવી છે. [QBR]
14. ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, [QBR] પણ ડાહી પત્ની યહોવાહ તરફથી મળે છે. [QBR]
15. આળસ ભરનિદ્રામાં નાખે છે [QBR] અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે. [QBR]
16. જે આજ્ઞાનું પાલન કરે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે, [QBR] પણ જે પોતાના માર્ગો વિષે બેદરકાર છે તે મૃત્યુ પામે છે. [QBR]
17. ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે [QBR] અને તે તેને તેનાં સુકૃત્યોનો બદલો આપશે. [QBR]
18. આશા છે ત્યાં સુધી તારા બાળકને શિક્ષા કર [QBR] અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ. [QBR]
19. ઉગ્ર ક્રોધીને શિક્ષા ભોગવવી પડશે; [QBR] જો તું તેને બચાવવા જશે, તો તારે વારંવાર તેમ કરવું પડશે. [QBR]
20. સલાહ સાંભળીને શિખામણ સ્વીકાર; [QBR] જેથી તું તારા આયુષ્યનાં અંતિમ ભાગમાં જ્ઞાની થાય. [QBR]
21. માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે, [QBR] પણ ફક્ત યહોવાહની ઇચ્છાઓ જ કાયમ રહેશે. [QBR]
22. માણસ પોતાની દયાવૃત્તિના પ્રમાણમાં પ્રિય થાય છે; [QBR] જૂઠા માણસ કરતાં ગરીબ માણસ વધારે સારો છે. [QBR]
23. યહોવાહનું ભય જીવનદાન [QBR] અને સંતોષ આપે છે [QBR] તેથી તેનું ભય રાખનાર પર [QBR] નુકસાનકારક માર આવશે નહિ. [QBR]
24. આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, [QBR] પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું તેનું મન થતું નથી. [QBR]
25. તિરસ્કાર કરનાર વ્યક્તિને મારશો, તો ભોળો શાણો થશે; [QBR] બુદ્ધિમાનને ઠપકો આપશો, તો તે ડહાપણમાં પ્રવીણ થશે. [QBR]
26. જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે [QBR] તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે. [QBR]
27. હે મારા દીકરા, જો તું ડહાપણની વાતો સાંભળવાનું બંધ કરીશ, [QBR] તો તું ડહાપણના શબ્દોને ખોઈ નાખીશ. [QBR]
28. દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે [QBR] અને દુષ્ટનું મુખ અન્યાયને ગળી જાય છે. [QBR]
29. તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા [QBR] અને મૂર્ખોની પીઠને માટે ફટકા તૈયાર કરેલા છે. [PE]