1. જુદો પડેલો માણસ ફક્ત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે [QBR] અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે. [QBR]
2. મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો, [QBR] પણ તેને ફક્ત પોતાનાં મંતવ્યોને જ રજૂ કરવાં હોય છે. [QBR]
3. જ્યારે દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, [QBR] અપકીર્તિ સાથે શરમ અને નિંદા પણ આવે છે. [QBR]
4. માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે; [QBR] ડહાપણનો ઝરો વહેતી નદી જેવો છે. [QBR]
5. દુષ્ટની શેહશરમ રાખવી [QBR] અથવા ઇનસાફમાં નેક માણસનો અન્યાય કરવો એ સારું નથી. [QBR]
6. મૂર્ખના હોઠ કજિયા કરાવે છે [QBR] અને તેનું મુખ ફટકા માગે છે. [QBR]
7. મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે [QBR] અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે. [QBR]
8. કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજનના કોળિયા જેવા હોય છે [QBR] અને તે તરત ગળે ઊતરી જઈને શરીરના અંદરના ભાગમાં પહોંચી જાય છે. [QBR]
9. વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે [QBR] તે ઉડાઉનો ભાઈ છે. [QBR]
10. યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે; [QBR] નેકીવાન તેમાં નાસી જઈને સુરક્ષિત રહે છે. [QBR]
11. ધનવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે [QBR] અને તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે. [QBR]
12. માણસનું હૃદય અભિમાની થયા પછી નાશ આવે છે, [QBR] પણ વિનમ્રતા સન્માનની અગાઉ આવે છે. [QBR]
13. સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં [QBR] મૂર્ખાઈ તથા લજ્જા છે. [QBR]
14. હિંમતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે, [QBR] પણ ઘાયલ મન કોણ વેઠી શકે? [QBR]
15. બુદ્ધિશાળી વ્યક્તિ ડહાપણ પ્રાપ્ત કરવા મથે છે [QBR] અને જ્ઞાની વ્યક્તિના કાન ડહાપણ શોધે છે. [QBR]
16. વ્યક્તિની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે [QBR] અને તેને મહત્વની વ્યક્તિની સમક્ષ લઈ જાય છે. [QBR]
17. જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે [QBR] પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે. [QBR]
18. ચિઠ્ઠી નાખવાથી તકરાર સમી જાય છે [QBR] અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે. [QBR]
19. દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને જીતવા કરતાં મુશ્કેલ છે [QBR] અને એવા કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે. [QBR]
20. માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે, [QBR] તેના હોઠોની ઊપજથી તે ધરાશે. [QBR]
21. મરણ તથા જીવન જીભના અધિકારમાં છે [QBR] અને જે તેને પ્રેમ કરશે તે તેવું ફળ ખાશે. [QBR]
22. જેને પત્ની મળે તે તેને માટે સારી બાબત છે [QBR] અને તેથી તેને યહોવાહની કૃપા પ્રાપ્ત થાય છે. [QBR]
23. ગરીબ દયાને માટે કાલાવાલા કરે છે, [QBR] પણ દ્વવ્યવાન ઉદ્ધતાઈથી જવાબ આપે છે. [QBR]
24. જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે, [QBR] પણ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે. [PE]